પંચવટીમાં વૃક્ષ ધરાશાયી: કુદરતી કે માનવસર્જીત..?

  • June 15, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંચવટી ગૌશાળા વિસ્તારમાં ગુલમહોરનું તોતીંગ વૃક્ષ એકાએક ધડાકા સાથે તૂટી પડતાં તેના કારણે અનેક વિજ વાયરો તૂટી જવાના કારણે કલાકો સુધી વિજળી ગૂલ થઇ હતી, મુખ્યમાર્ગ બંધ થઇ ગયો હતો, મહત્વની વાત એ છે કે, હાલમાં જામનગરમાં એટલી તેજ ગતીએ પવન ફૂકાતો નથી કે વૃક્ષ મુળમાંથી ઉખડીને તૂટી જાય ત્યારે આ ઘટાટોપ કેવી રીતે તૂટી ગયું એ આશ્ર્ચર્યની વાત છે અને આ દિશામાં તપાસ થવી જોઇએ કારણ કે, અગાઉ પંચવટી ગૌશાળા વિસ્તારમાં અનેક વખત મુળમાંથી વૃક્ષો જમીનદોસ્ત થયા છે, આ કુદરતી છે કે માનવસર્જીત છે તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application