રાજકોટ એસટી બસપોર્ટ મેનેજર સહિત રાજ્યભરમાં ૩૬ અધિકારીઓની બદલી

  • February 01, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં લાંબા સમય બાદ બદલીનો ઘાણવો નીકળ્યો છે જેમાં કુલ ૩૬ અધિકારીઓની બદલીના હુકમ થયા છે, રાજકોટ એસટી બસપોર્ટના ડેપો મેનેજર કે.એમ.ભટ્ટને પ્રમોશન સાથે ભાવનગર ખાતે ડિવિઝનલ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે નિયુકિત અપાઇ છે અને તેમના સ્થાને જૂનાગઢ ડિવિઝનલ મિકેનિકલ એન્જીનિયર તરીકે કાર્યરત જી.એચ.ચગને પ્રમોશન સાથે રાજકોટ એસટી બસ પોર્ટના ડેપો મેનેજર તરીકે નિયુકત કરાયા છે.

વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, સાવરકુંડલા અને મહુવા સહિતના ડેપો અને ડિવિઝનના અધિકારીઓ અને ઇજનેરોની બદલી થઇ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જીનિયર તરીકે કાર્યરત એમ.બી.રાવલને જૂનાગઢ ખાતે કાર્યકારી નિયામક તરીકે નિયુકિત અપાઇ છે. અમરેલી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા વી.એચ.નથવાણીને સાવરકુંડલા ડેપો મેનેજર તરીકે નિયુકત કરાયા છે.આગામી દિવસોમાં બદલીના હજુ વધુ ઓર્ડર નીકળે તેવી પુરી શકયતા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application