નવસારીમાં દુર્ઘટના : કૃષ્ણપૂર ગામે મટકીફોડતા સમયે દિવલનો ભાગ તૂટી પડ્યો, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

  • August 27, 2024 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકો આનંદ-ઉમંદ સાથે ભગવાનના દર્શન કરી રહ્યાં છે. જન્માષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપૂર ગામે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.  આ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. 




જેમાં નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટતા સાત લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક વ્યક્તિને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application