જામનગરમાં શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનાને નિશાન બનાવતા તસ્કરો

  • December 25, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ દિવસના સમયગાળા દરમિયાન તસ્કરો રૂપિયા ૭૩,૫૦૦ ની કિંમતના ૧૫૦ કિલો પીતળ નો માલ સામાન ચોરી ગયા ની ફરિયાદ


જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે, અને ગઈકાલે શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી રૂપિયા ૭૩,૫૦૦ ની કિંમત ના પિત્તળના માલ સામાનની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં મોમાઈ બ્રાસ નામનું કારખાનું ધરાવતા હિતેનભાઈ મહેશભાઈ પ્રજાપતિએ પોતાના કારખાનામાંથી રૂપિયા ૭૩,૫૦૦ ની કિંમત નો પિત્તળ નો માલ સામાન ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.


ગત ૨૦ તારીખથી ૨૩ તારીખ સુધીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ કારખાનામાં પ્રવેશ કરી લીધો હતો, અને અંદરથી તૈયાર રાખવામાં આવેલા ૧૫૦ કિલો માલસામાનની ચોરી કરી લઈ ગયા નું પોલીસમાં જાહેર કરાયું છે. સિટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application