આગામી તારીખ ૧૮ મે ના રોજ એનએસઇ ચાલુ રહેશે. ટ્રેડિંગ સેશન યોજવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જો કે આખો દિવસ માર્કેટ ચાલુ નહીં રહે માત્ર થોડા કલાક પૂરતું એન એસ ઇ ચાલુ રાખવામાં આવશે. થોડા સમય પૂર્વે પણ એન એસ ઇ દ્રારા આ રીતે ટ્રાયલ લેવામાં આવી હતી. નેશનલ સ્ટોક એકસચેન્જ દ્રારા તેની સાઇટ ખાતે કોઇપણ પ્રકાર ની ટેકનિકલ ખામી આવે તો તેનું ચેકિંગ કરી શકાય તે માટે આગામી તારીખ ૧૮ મીના રોજ ઈકિવટી અને ઈકિવટી ડેરિવેટિવ સેગમેન્ટમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે. નેશનલ સ્ટોક એકસચેન્જ દ્રારા શેરબ્રોકર્સને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં આ ટ્રાયલ દરમિયાન બે સેશન રાખવામાં આવ્યા છે જેમાં પહેલું સેશન સવારે ૯:૧૫ વાગ્યાથી શ થઈ ૧૦ વાગ્યા સુધીનો રહેશે યારે બીજા સેશનમાં સવારે ૧૧:૩૦ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.આ ખાસ વિશેષ સત્ર દરમિયાન ડેરીવેટીવ પ્રોડકટસ સહિત તમામ સિકયુરિટીમાં મહત્તમ પાંચ પિયાની પ્રાઇસ બેન્ડ હશે અગાઉ બે માર્ચના રોજ પણ નેશનલ સ્ટોક એકસચેન્જ અને બોમ્બે સ્ટોક ચેન્જ દ્રારા આ પ્રકારનું ખાસ ટ્રેડિંગ સ્ટેશન ગોઠવાયું હતું જેમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના દરમિયાન કામગીરી પ્રભાવીત થાય તો તેને ફરીથી શ કરવા માટે એકસચેન્જ દ્રારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજકાલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો જામનગર
April 12, 2025 12:25 PMજમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશના 3 આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ
April 12, 2025 12:24 PMઆજે તક્ષશીલા સંકુલમાં પરશુરામ મંદિર માટે શિલાપૂજનનો કાર્યક્રમ
April 12, 2025 12:21 PMજામનગરમાં ગઠીયાએ એટીએમ બદલાવીને ૪૦ હજાર ઉપાડી લીધા
April 12, 2025 12:20 PMજામનગરમાં વિદેશી દારુની બોટલો સાથે એક ઝબ્બે : ૩ ફરાર
April 12, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech