આજે જય શાહ મળશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચીફ મોહસિન નકવીને

  • July 22, 2024 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચર્ચા કરી રહ્યું છે. પીસીબી કોઈ રીતે ભારતને પાકિસ્તાનમાં આમંત્રણ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન હાઇબ્રિડ મોડલ અને પાકિસ્તાન દ્વારા 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવી લેવાના સમાચાર પણ સામે આવ્યા છે. જો કે ICC હજુ પણ આ સમગ્ર મામલે મૌન છે. હાલમાં શ્રીલંકામાં ICCની વાર્ષિક બેઠક ચાલી રહી છે. આ દરમિયાન  ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 સીરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી 2025માં તટસ્થ સ્થળે ટી-20 દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતને આમંત્રણ આપી શકે છે. આ માટે તેઓ આજે શ્રીલંકામાં BCCI સેક્રેટરી જય શાહને મળશે. જોકે પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોને પાકિસ્તાનની બહાર નહી રાખવા પર અડગ છે.


પીસીબી ચીફ 2025 દરમિયાન તટસ્થ સ્થળે ટી-20 સિરીઝ માટે ભારતને આમંત્રણ આપશે. જ્યારે તેઓ BCCIના સેક્રેટરીને મળશે. ICCની વાર્ષિક બેઠક શ્રીલંકામાં 19 થી 22 જુલાઈ દરમિયાન યોજાઈ રહી છે.


પીસીબીના એક સૂત્રને ટાંકીને આગળ કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવ પર જય શાહ સાથે મોહસીન નકવીની મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી પછી બંને ટીમોના ફ્રી દિવસો દરમિયાન T20 સિરીઝ શક્ય છે. આ ચર્ચા વાર્ષિક કોન્ફરન્સનો મહત્વનો ભાગ બનવા જઈ રહી છે. જોકે  અત્યાર સુધી BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કર્યું નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application