એડવાન્સ બુકિંગમાં ફિલ્મ 'ટાઈગર 3'ને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. અહેવાલ મુજબ, ફિલ્મની અત્યાર સુધીમાં 5,86,650 ટિકિટ વેચાઈ ગઈ છે. ફિલ્મ 'ટાઈગર 3' આવતીકાલે રીલીઝ થવા જઈ રહી છે .અત્યાર સુધીમાં આશરે 15.58 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ ગયું
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ 'ટાઈગર 3' આ દિવાળીએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ચાહકોની આ અધીરાઈનો અંદાજ ફિલ્મ 'ટાઈગર 3'ના એડવાન્સ બુકિંગ પરથી લગાવી શકાય છે. સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ પહેલા દિવસે સારી શરૂઆત કરશે.
ફિલ્મ 'ટાઈગર 3'ના રિલીઝ દિવસ એટલે કે રવિવારે સારી ટિકિટ બુકિંગ કરવામાં આવી છે. તે જ સમયે, ફિલ્મ રિલીઝના બીજા દિવસે સોમવાર માટે એડવાન્સ બુકિંગમાં ઘણી બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ચાલો જાણીએ ફિલ્મ 'ટાઈગર 3'ના એડવાન્સ બુકિંગના લેટેસ્ટ આંકડા શું છે.
ફિલ્મ 'ટાઈગર 3'ના એડવાન્સ બુકિંગના આંકડા
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ 'ટાઈગર 3'ના એડવાન્સ બુકિંગના આંકડા સામે આવ્યા છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મ 'ટાઈગર 3'ને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. અહેવાલ મુજબ, ફિલ્મની અત્યાર સુધીમાં 5,86,650 ટિકિટ વેચાઈ છે, જેનાથી 15.58 કરોડ રૂપિયાનું કલેક્શન થશે. આ ડેટા બ્લોક સીટ વગરનો છે.
'ટાઈગર 3'નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેનો રોમાંસ તેમજ ફિલ્મ 'ટાઈગર 3'માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી વચ્ચેની ટક્કર જોવા ચાહકો આતુર છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' 2023ની ઈદ પર રિલીઝ થઈ હતી. ત્યારથી, ચાહકો તેમના પ્રિય અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ની રાહ જોઈ રહ્યા છે.
ટાઈગર 3માં શાહરૂખની સાથે રિતિક પણ જોવા મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઈગર 3માં માત્ર શાહરૂખ ખાન જ પઠાણના રોલમાં જોવા મળશે સાથે જ રિતિક રોશન પણ કબીરના રોલમાં જોવા મળશે.સેન્સર સર્ટિફિકેશનને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશનનો સીન લગભગ 2 મિનિટ 22 સેકન્ડનો હશે. નોંધનીય છે કે આ ફિલ્મ આવતીકાલે એટલે કે 12 નવેમ્બરે રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech