ઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત

  • July 02, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 27 લોકોના મોત થયા છે અને ઘણી મહિલાઓ અને બાળકો પણ આ અકસ્માતમાં ઘાયલ થયા છે. મહિલા અને બાળકોને ઇટાહ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.


કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. ત્યારબાદ સમાપન સમારોહ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 27 લોકોના મોત થયા છે. તેમજ અકસ્માતમાં 15 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હતા. આ બાળકો અને મહિલાઓને ઈટાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.


'25 મહિલા અને 2 પુરુષોના મોત'


એટાહના એસએસપી રાજેશ કુમાર સિંહનું કહેવું છે કે હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. ઇટાહ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહો મળી આવ્યા છે. જેમાંથી 23 મહિલાઓ, 3 બાળકો અને 1 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી કોઈ ઈજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચ્યા નથી. આ 27 મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.


ઇટાહની મેડિકલ કોલેજના ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (સીએમઓ)એ જણાવ્યું કે સિકંદરરાઉ નજીક સત્સંગ અથવા ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં 25 મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે કારણકે ઘાયલ લોકોને સતત હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.


આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.


સત્સંગ બાદ નાસભાગ મચી ગઈઃ પીડિત


એક મહિલાએ જણાવ્યું કે અમે દર્શન કરવા આવ્યા હતા. ઘણી ભીડ હતી. જ્યારે નાસભાગ મચી ત્યારે હું અને મારું બાળક પણ ભીડની નીચે આવી ગયા. ઈજાગ્રસ્ત માતા સાથે હોસ્પિટલ પહોંચેલી એક છોકરીએ જણાવ્યું કે સત્સંગ પૂરો થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી. અમે મેદાનમાંથી નીકળી રહ્યા હતા ત્યારે અચાનક ભીડ ધક્કો મારવા લાગી. જેના કારણે ઘણા લોકો નીચે દબાઈ ગયા. અમારી સાથે અન્ય એક વ્યક્તિ પણ આવી હતી. તેમનું અવસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application