જસદણના ભડલી-ગઢડા રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં રાત્રિના ત્રણ શખસો આવી અહીં પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી તેમજ પંપ સંચાલકની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ત્રણેય આરોપીઓ પૈકી એક આરોપીના માસીયાઇ ભાઇ સો એકાદ મહિના પૂર્વે બાકીમાં ડીઝલ પુરાવા બાબતે પંપ સંચાલકને માાકૂટ ઈ હોય અને પોલીસ ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી આ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે પેટ્રોલ પંપ સંચાલકની ફરિયાદ પરી પોલીસે બોટાદ અને ભડલીમાં રહેતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં આટકોટ રોડ પર સરદાર પટેલનગર પાસે ગંગા ભુવનમાં રહેતા ભરતભાઈ મનુભાઈ જેબલીયા (ઉ.વ ૫૦) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બોટાદમાં રહેતા પૃથ્વીરાજ આલકુભાઈ વાળા તેમજ ભડલીમાં રહેતા છત્રપાલ મંગળુભાઈ ધાંધલ અને શિવકુ રામભાઈ પટગીરના નામ આપ્યા છે.ભરતભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામની સો શિવરાજપુર ગામે તા ભડલી-ગઢડા રોડ પર ન્યારા પેટ્રોલ પંપનું સંચાલન કરે છે. તારીખ ૭/૭ ના રાત્રિના ૯:૩૦ વાગ્યા આસપાસ તેઓ શિવરાજપુર ખાતે આવેલા પોતાના પંપ ખાતે હાજર હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે, હું પુભાઈ બોલું છું તેમ કહી ગાળો આપી જાની મારી નાખવાની ધમકી આપી હતી જેી આ બાબતે તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ગયા હતા.દરમિયાન અહીં તેમને તેમના ભડલી ગઢડા રોડ પર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપના કર્મચારીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, પેટ્રોલ પંપ ખાતે પૃથ્વીરાજ વાળા તા તેના માણસોએ તોડફોડ કરી છે જેી તેઓ અહીં પહોંચ્યા હતા અહીં આવી જોતા પંપ પાસે પડેલી તેમની બલેનો કારના તમામ કાચ તોડી નાખ્યા હતા તેમજ પેટ્રોલ પંપના ડબલાની ડિસ્પ્લે તા ઓફિસના બહારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ઓફિસની અંદર પણ સામાન વેરવીખેર પડ્યો હોય તેમજ ઓફિસમાં એક ધર્માદા માટે રાખેલ બોક્સમાં રૂપિયા ૫,૦૦૦ પણ જોવા મળ્યા ન હતા.
ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા પૃથ્વીરાજ તા છત્રપાલ અને શિવકુ અહીં પંપ પર આવ્યા હોય અને પૃથ્વીરાજ લાકડી લઈ તોડફોડ કરતો હતો તા અન્ય બન્ને આરોપીઓ ધ્યાન રાખતા હતા. આ તોડફોડમાં પેટ્રોલ પંપમાં અંદાજિત દોઢ લાખનું નુકસાન યું હતું. ભરતભાઈએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સવા મહિના પૂર્વે આરોપી પૃથ્વીરાજના માસીયાઇ ભાઈ રણુ જેઠસુરભાઈ ખાચર અહીં બાકીમાં ડીઝલ ભરાવ્યું હતું અને પૈસા આપ્યા ન હતા જેી તેને ડીઝલ આપવાની ના પાડતા બોલાચાલી ઈ હતી. તે સમયે ભરતભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પંપ સંચાલકની ફરિયાદ પરી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech