અંબાજી મંદિરના મહતં મોટા પીર બાવા તનસુખગીરી બાપુ થયા બાદ મહતં બનવા સામસામા દાવા પ્રતિ દાવા થઈ રહ્યા છે. જેથી તત્રં દ્રારા અંબાજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર અને ગુદત્તાત્રેય ત્રણેય શિખરો પર વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે તત્રં દ્રારા સંતો મહંતોને આગેવાનોની ઉપસ્થિતિમાં ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે તપાસ અર્થ ગયા હતા યાં તેઓને સોના ચાંદીના દાગીના મળેલ હતા. તત્રં દ્રારા વિડીયોગ્રાફી અને જરી તપાસ કર્યા બાદ તેની યાદી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પટારામાંથી ૩ કિલો સોનું અને ૧૫ કિલો ચાંદીના આભૂષણ મળી આવ્યા હતા.
અંબાજી મંદિરે પણ વહીવટદાર શાસન લાગુ થયા બાદ તત્રં હવે અંબાજી મંદિરમાં સેવા પૂજા કરતા સેવકોની પણ યાદી તૈયાર કરી રહ્યું છે અને તત્રં મંજુર કરશે તેને જ સેવા પૂજા માટે મંજૂરી આપવામાં આવશે. ગઈકાલે બપોરે અંબાજી મંદિરે તપાસ દરમિયાન મામલતદાર ત્રિવેદી, ઉપરાંત સંતો મહંતો, તેના પ્રતિનિધિ સહિતની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી હતી. મંદિર અને પરિસરમાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
તત્રં દ્રારા વિડીયોગ્રાફી સાથે મંદિર પરિસર અને આસપાસના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન માતાજીના સોનાના દાગીના મળી આવ્યા હતા.
તપાસ પૂર્ણ થયા બાદ ટીમના સભ્યો પરત ફર્યા હતા ભીડભંજન મહાદેવ મંદિર બાદ અંબાજી મંદિરની પણ તપાસ પૂર્ણ કરવામાં આવી હતી અને મંદિર અને બાપુના મ ખાતે મળેલ ચીજોની તત્રં દ્રારા યાદી તૈયાર કરવામાં આવી છે. મંદિરોમાં તપાસ બાદ હવે ગુદત્તાત્રેય શિખર એક જ બાકી રહે છે. અગાઉ ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુએ ગુદત્તાત્રેય શિખર પર વહીવટદાર નિયુકિત તંત્રની ભૂલ હોવાનું જણાવ્યું હતું અને આ મામલે નિર્ણય લેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ગુ દત્તાત્રેય શિખર પર દાન પેટી નથી જેથી તત્રં તે સ્થળે તપાસ કરે છે કે કેમ તે અંગે પણ મીટ મંડાઇ છે
ભીડભંજન મંદિરમાં નજીવું સોનું મળ્યા અંગે મહેશગિરિબાપુ દ્રારા તપાસની માગણી
જૂનાગઢમાં ભીડભંજન મંદિરમાં માત્ર નજીવું સોનું અને રોકડ મળી આવતા મહેશગીરીબાપુએ એજન્સી નિમિને તપાસ કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં ભીડભંજન મહાદેવ મંદિર અંબાજી મંદિર અને દત્તાત્રેય વહીવટદાર હસ્તક આવી ગયેલ છે. વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વહીવટદાર દ્રારા તપાસ કરવામાં આવી હતી જેમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહતં તનસુખગીરી બાપુના મનો દરવાજો ખોલ્યો હતો જેમાંથી માત્ર સામાન્ય રોકડ રકમ અને સોનુ મળી આવ્યું હતું પરંતુ ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુ ના જણાવ્યા મુજબ વર્ષેાથી બાપુ અંબાજી મંદિર સાથે સંકળાયેલા છે માતાજીને આશરે ૧૦ થી ૧૨ તોલા સોનાના આભૂષણો ચડેલા છે તેવી વાત બાપુ એ જ તેની હયાતીમાં અનેક વખત કરી હતી પરંતુ હાલ મમાંથી માત્ર નજીવું સોનું અને રોકડ મળી આવતા બાકીના મુદ્દા માલ ગયો કયાં? તેમ જણાવી સરકાર ખાસ એજન્સી નીમીને તપાસ કરે તેવી મહેશગીરી બાપુએ માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech