કેનેડામાં નિજ્જર હત્યામાં ત્રણ ભારતીયની ધરપકડ

  • May 04, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય ભારતીય નાગરિક છે. તેમના નામ કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22), કરણપ્રીત સિંહ (28) છે. ત્રણેય એડમોન્ટન, આલ્બટર્મિાં લગભગ 3 થી 5 વર્ષથી રહેતા હતા. પોલીસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી હતી. કેનેડિયન પોલીસનું કહેવું છે કે તેઓ ભારત સરકાર સાથે સંભવિત સંબંધો માટે હરદીપ સિંહ નિજ્જર મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ શકમંદોની તપાસ કરી રહ્યા છે, જોકે તેઓએ વધુ વિગતો આપી નથી.

કેનેડિયન પોલીસનું કહેવું છે કે તેઓ હવે ભારત સરકાર સાથેના સંભવિત સંબંધો માટે ત્રણ શંકાસ્પદોની તપાસ કરી રહ્યા છે, તપાસ ટીમનું કહેવું છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ઘણા વર્ષોથી ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક રહ્યા છે. કેનેડિયન પોલીસ માને છે કે ધરપકડ કરાયેલા ત્રણ શકમંદો એ જૂથનો ભાગ છે જેમને ભારત સરકાર ખાલિસ્તાની નિજ્જરની હત્યાની જવાબદારી સોંપી હતી.આઈએચઆઈટી ઓફિસર-ઈનચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ મનદીપ મુખર અને સહાયક કમિશનર ડેવિડ ટેબૌલ અને બ્રાયન એડવડ્ર્સે પત્રકારો સાથે વાત કરતા ત્રણેય શકમંદોની ધરપકડની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ, કેનેડિયન પોલીસે ત્રણેય શંકાસ્પદોને ઓળખી લીધા હતા અને તેમની પર સતત નજર રાખી રહી હતી.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણેયની ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ ભારતીય નાગરિક તરીકે કરવામાં આવી છે. જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાએ આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.

ભારત પર કેનેડાના ગંભીર આરોપો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. ગયા વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે કેનેડિયન નાગરિક નિજ્જરની ગોળીબારમાં કેનેડિયન સત્તાવાળાઓ ભારતીય સરકારી એજન્ટો સાથેની કોઈપણ સંભવિત લિંકની તપાસ કરી રહ્યા છે.

લોરેન્સ ગેંગ સાથે સંડોવણી
ધરપકડ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકો છે જેઓ 2021 પછી અસ્થાયી વિઝા પર કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક સ્ટુડન્ટ વિઝા પર હતા. કોઈએ કેનેડામાં શિક્ષણ મેળવ્યું હોવાનું માનવામાં આવતું નથી, કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો. અહીં કોઈનું કાયમી ઘર નથી. બધા પંજાબ અને હરિયાણાના એક ગુનાહિત જૂથના સહયોગી છે જે પંજાબના લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા છે.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application