વસ્તી વધારો તે લોકોના લીધે થયો છે કે જે ડઝનબંધ છોકરા પેદા કરે છે : ગિરિરાજસિંહ

  • April 21, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંયુક્ત રાષ્ટ્ર જન સંખ્યા કોષનો એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે વસ્તીની દ્રષ્ટિએ ચીનને પણ પાછળ રાખી દીધું છે અને હાલ ભારતની વસ્તી ૧,૪૨૮.૬ મિલિયન છે. જ્યારે ચીનની વસ્તી ૧,૪૨૫.૭ મિલિયન છે તે જોતાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં ૨.૯ મિલિયન વધુ છે.



આ અંગે કેન્દ્રના મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, વધતી વસ્તી ભારતના હોલિસ્ટિક વિકાસ માટે ભયરૂપ છે. આપણાં સંશાધનો મર્યાદિત છે. આજે દેશમાં ૧૫૦ જિલ્લા છે કે જ્યાં પ્રજનન વધી ગયું છે. પરંતુ આ વસ્તી વધારો કોનો છે ? આ વસ્તી વધારો તેઓનો છે કે જેઓ ડઝનબંધ બાળકો પેદા કરે છે. આ વસ્તી વધારો એક ખાસ સમુદાયનો છે.



વાસ્તવમાં આ આંકડાઓ ઘણાં જ ચિંતાજનક છે. અહીં ગિરિરાજ સિંહે કોઈ ધર્મના અનુયાયીઓનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેમ કરવાની જરૂર પણ ન હતી. પરંતુ મૂળ વાત તે છે કે, અન્ન ઉત્પાદન વધી વધીને કેટલું વધી શકે ? સમુદ્રોમાંથી માછલીઓ પણ ઘટી ગઈ છે. સાલમન નામની સૌથી વધુ ખવાતી માછલીઓ પણ નામશેષ થઈ ગઈ છે. આ બેફામ વસ્તી વધારાનું પરિણામ વ્યાપક ભૂખમરો આવી શકે છે.


યુનોએ આ પૂર્વે રજૂ કરેલા એક અહેવાલ પ્રમાણે દુનિયાની ત્રીજા ભાગની વસ્તી ભૂખમરા કે અર્ધભૂખમરાની સ્થિતિમાં જીવે છે. ત્યારે ધર્મની આડમાં રહી વસ્તી વધારતા જ જવી તે વધુ ભયાવહ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application