આ છે ભારતનું સૌથી છેલ્લું રેલ્વે સ્ટેશન, જ્યાંથી પગપાળા જઈ શકાય છે બાંગ્લાદેશ

  • September 22, 2024 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં રેલવેની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. પહેલા ટ્રેનો કોલસાથી ચાલતી અને આજે મેટ્રો અને બુલેટ ટ્રેન સુધી આપણે પંહોચી ગયા છે. શું ભારતના એવા રેલ્વે સ્ટેશન વિશે જાણો છો? જ્યાંથી ચાલીને જ બાંગ્લાદેશ પંહોચી શકાય છે. ભારતના છેલ્લા રેલ્વે સ્ટેશનનું નામ છે સિંઘબાદ.


 


અંગ્રેજોના સમયમાં સ્થપાયેલું આ રેલ્વે સ્ટેશન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ સ્ટેશનએ કોલકાતા અને ઢાકા વચ્ચેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતાના સીતારામપુરમાં આ સ્ટેશન આવેલું છે. કહેવાય છે કે આઝાદી પહેલા મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ ઢાકા જવા માટે આ સ્ટેશનનો ઉપયોગ કરતાં હતા.


 


ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ વર્ષ 1978માં આ રેલવે સ્ટેશન પર ફરીથી ટ્રેનો આવવા-જવા લાગી હતી. અત્યારે આ સ્ટેશન ઉજ્જડ છે અને અહીં કોઈ પણ પેસેન્જર ટ્રેન ઊભી રહેતી નથી. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ હવે માત્ર માલગાડીઓ માટે જ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application