આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ પોતાના સ્વાથ્ય માટે પણ સમય આપી શકતો નથી. અનિયમિત ભોજનને કારણે પેટ સબંધિત અનેક બીમારીઓ થાવાની શક્યતા રહે છે.
મોટાભાગની બીમારીઓ પેટની ગડબડીથી ફેલાતી હોય છે. આપણે જ કંઇ પણ ખાઇએ છીએ, તેની સીધી અસર પેટની સાથે સાથે આખા શરીર પર પડે છે. જેમાંથી અપચો આપણા શરીરમાં નબળા પાચક અગ્નિથી પરિણમે છે. પાચન સમસ્યાઓ થવાનું મૂળ કારણ આહારના નિયમોનું પાલન નહીં કરવાને કારણે થાય છે. અપચા માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પેટને હેલ્ધી રાખી શકાય છે. કામના કારણે યોગ્ય સમયે ભોજન ન કરવું અને ભૂખ લાગવા પર કંઇ પણ ખાઇ લેવાથી પેટની બીમારીઓમાં વધારો થઇ શકે છે. તો ચાલો જાણીએ અપચાથી છુટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાયો.
અપચાની તકલીફ થશે દૂર
જીરું અને હિંગનો ઉપયોગ:
જમ્યા પછી અડધી ચમચી જીરું પાઉડર અને થોડી હિંગ ગરમ પાણી સાથે લો. આ ઉપાય પાચન તંત્રને મજબૂત બનાવી અપચા દૂર કરવામાં મદદ કરે છે.
સુંઠ(આદુ) અને લીંબુ:
આદુનો એક ટુકડો ખોરાક પછી ખાવો અથવા આદુનો રસ લીંબુ સાથે મિશ્રિત કરીને પીવો. આ ઉપાય પેટમાં ગેસ અને અપચાની સમસ્યા માટે ઉપયોગી છે.
ત્રિફલા:
બપોરના જમણ પછી અડધી ચમચી ત્રિફલા ચુર્ણ ગોળ જળ સાથે લેવાથી પાચન સારી રીતે થાય છે અને અપચો દૂર થાય છે.
તુલસીના પાન:
તુલસીના 5-6 પાનને ચાવવાથી અપચા અને ગેસની સમસ્યા દૂર થાય છે.
ગરમ પાણી:
બપોરે જમ્યા પછી 1-2 ગ્લાસ ગરમ પાણી પીવાથી પાચન પ્રક્રીયા ઝડપી બને છે અને ખોરાક સરળતાથી પચી જાય છે.
અજમો:
એક ચમચી અજમાનું ચુર્ણ અથવા અજમાનુ પાણી બપોરે જમ્યા પછી લેવાથી પેટની ગેસ અને અપચાની સમસ્યા દુર થાય છે.
વજ્રાસન:
જમ્યા પછી 10-15 મિનિટ વજ્રાસનમાં બેસવાથી અપચા અને પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે, અને પાચન ક્રિયા સુધરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech