બગસરા-વડિયા બસ બંધ કરાતાં હોબાળો મચી ગયો

  • December 14, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી બગસરા થી વડીયા તરફ જતી એસટી બસ સવારે સાત કલાકે વાયા ડેરી પીપરીયા બાલાપુર નાજાપુર સહિતના ગામડાઓમાંથી પસાર થઈ અને પેસેન્જરને સંતોષકારક આ એસટી બસ સમયસર રૂટ ચાલતો હોય ત્યારે અચાનક બગસરા એસટી ડેપોના મેનેજર ને શું થયું કે તે બસ બંધ કરી અને બગસરા અમરેલી માં તે બસ મૂકવામાં આવી જોકે સવારે ૬:૩૦ કલાકે તે બસ રૂટમાં ચાલે છે પરંતુ તે રૂટમાં માત્ર ડ્રાઇવર કંડકટર જાય છે અને પાછા ચાલ્યા આવે છે કારણ કે તે સમયમાં ૬:૩૦ થી સ્ટાર્ટ થાય કે ૮:૩૦ સુધીમાં સાત બસ બગસરા થી અમરેલી તરફ જાય છે છતાં ડેપો મેનેજર દ્વારા બગસરા વડીયા જે વર્ષોથી આ રૂટ છે તેને શું થયું કે અચાનક બંધ કરી દેવામાં આવી અને હાલ પેસેન્જર હેરાન થાય છે અને તે રૂટમાં તે પેસેન્જર રાહ જોઈને ઊભા રહે છે આવું જ રહ્યું તો પેસેન્જર દ્વારા આ બસને તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો પેસેન્જરો દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે અમે લોકો ગાંધીજીને માર્ગે જવું પડશે કારણકે એસટી વિભાગના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓને અનેકવાર આ બાબતે વાતચીત કરવામાં આવી છતાં તેને પેટમાં પાણી પણ હલતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application