વિશ્વના તમામ દેશોમાં અલગ-અલગ કાયદા છે અને ઘણા દેશોમાં તો કેટલાક વિચિત્ર કાયદા પણ છે.એક એવો કાયદા પણ છે જેના હેઠળ જો કોઈ વ્યક્તિનું વજન વધે છે તો તેને કડક સજા આપવામાં આવે છે. કયા દેશમાં સ્થૂળતા ગેરકાનૂની માનવામાં આવે છે અને તેની સજા શું છે?
જાડા હોવું એ ગુનો છે
શરીરની ચરબીમાં વધારો સામાન્ય છે. પરંતુ જાપાનમાં જાડા હોવાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. એટલું જ નહીં જાડા થવાની સજા પણ છે. જોયું હશે કે જાપાની લોકો જાડા નથી હોતા. તેની પાછળ કાયદાનું અસ્તિત્વ પણ એક મોટું કારણ છે. જાપાનીઝ લોકોને જાડા થવાની મંજૂરી નથી. વાંચીને અજીબ લાગશે કે વ્યક્તિને જાડા હોવાની સજા આપવામાં આવે છે અને તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે.
જાપાની લોકો ચાલવાનું સૌથી વધુ પસંદ કરે છે. જાપાની લોકો સ્થૂળતા ઘટાડવા માટે સારો આહાર, ચાલવાનો અને જાહેર પરિવહન વ્યવસ્થાનો વધુ ઉપયોગ કરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે તેમને લાંબુ અંતર ચાલવું પણ પડે છે. જેનાથી સ્થૂળતા વધતી નથી. અહીંના લોકોના આહારમાં માછલી, શાકભાજી અને ભાત વગેરેનો સમાવેશ થાય છે.
જાપાનમાં સ્થૂળતા રોકવા માટે કાયદો પણ છે. આ કાયદાને મેટાબો લો કહેવામાં આવે છે. માહિતી અનુસાર, આ કાયદો 2008માં જાપાનના સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય દ્વારા લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ દર વર્ષે 40 થી 74 વર્ષની વયના પુરૂષો અને મહિલાઓની કમરનું માપ લેવામાં આવે છે. આમાં સ્ત્રીઓની કમરની સાઈઝ 33.5 ઈંચ અને પુરુષો માટે 35.4 ઈંચ નક્કી કરવામાં આવી છે.
જાપાનમાં મોટી સંખ્યામાં વૃદ્ધોની વસ્તી છે. આ તમામ લોકોની સારવારની જવાબદારી સરકારની છે. તેથી સરકારે આ માટે કાયદો અમલમાં મૂક્યો હતો. કારણ કે સરકાર ઈચ્છતી ન હતી કે સ્થૂળતાના કારણે કોઈને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી થાય.
જાડા હોય તો તેની સજા શું છે?
હવે સવાલ એ છે કે જાપાનના નાગરિકોને જાડા હોવા બદલ શું સજા આપવામાં આવે છે. જાપાનમાં જાડા હોય તો તેના માટે કોઈ સત્તાવાર સજા નથી. પરંતુ આ સિવાય કાયદા અનુસાર, નાગરિકોએ જ્યારે તેઓ જાડા હોય ત્યારે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જાપાનમાં જો કોઈ જાડું હોય, તો તેણે સ્લિમ ડાઉન એટલે કે પાતળા થવા માટે ક્લાસ કરવા પડે છે. આ ક્લાસનું આયોજન આરોગ્ય વીમા કંપની દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech