ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ જાણે કયાં ચોઘડિયે કરવામાં આવ્યું હોઈ સિવિલ હોસ્પિટલ તંત્રના વાંકે ક્ષતિઓનો પાર રહ્યો નથી, ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ થયું એને કાલે બે મહિના જેટલો સમય થશે પરંતુ સરકારને શરમ અપાવતા હોસ્પિટલ તંત્રએ આઇસીયુ અને લેબર મના પ્રત્યેક બેડમાં સગર્ભાઓ અને પ્રસૂતાઓની પ્રાઇવેસીની સાથે સાથે મેન્ટલી શાંતિ મળે અન્યોનું પેઈન જોઈ પોતે દુ:ખી ન બને અને તેની અસર તેના સ્વાસ્થ્ય ઉપર ન પડે માટે કર્ટન (પડદા) ફિટ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના વિભાગમાં પીઆઈસીયુ,એમએનસીયુમાં પણ કર્ટન લગાવવામાં આવે છે પરંતુ હોસ્પિટલના જવાબદારોએ જાણે લાજ–શરમ નેવે મૂકી હોઈ તેમ બે મહિનાથી આઇસીયુ, લેબર મ અને બાળકોના વિભાગ પીઆઈસીયુ,એમએનસીયુકર્ટન(પડદા) ફિટ કરવામાં આવ્યા નથી જેના કારણે પ્રસૂતા અને સગર્ભાઓ ખુલ્લા ખાટલામાં સારવાર લઈ ક્ષોભીંત પણ થઇ રહી છે. એક બાજુ પ્રસૂતા, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો માટે રાય અને કેન્દ્રની સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, માતા–નવજાતના મૃત્યુની સંખ્યા ઘટાડવા માટેના પ્રયત્નો કરી રહી છે અને અહીં ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતાઓના બેડ આડે પડદાએ નસીબ નથી આ જોતા હોસ્પિટલનું તત્રં કેટલી હદે ખાડે ચાલી રહ્યું છે અને રાયનું આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી બખૂબી રીતે જાણવા છતાં ખાડે ગયેલા હાસ્પિટલ તંત્રને ચલાવી લેવા આખં આડા કાન કરી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે. કર્ટનની ખરીદી ન કરવા પાછળ એક એવી પણ ચર્ચા થઇ રહી છે કે, કર્ટનની ખરીદીમાં કમિશનનું નહીં ગોઠવાતું હોઈ અથવા તો માનીતાઓ ગોઠવણ મુજબ ટેન્ડર ભરી નહીં શકતા હોય જેના લીધે લોકલ ખરીદી હોવા છતાં બે મહિનાથી કરવામાં આવતી નથી. આ બાબતે સત્ય શું છે એ તો હવે સિવિલ ના જવાબદારો ગાંધીનગર શું ખુલાશો આપે છે એ જોવું રહ્યું
જીએમસીએએલમાંથી પેસ્ચ્યુરાઇઝર મોકલે તો હ્યુમન મિલ્ક બેન્ક શરૂ થાય
પૂરતું આયોજન અને ખૂટતા સાધનો હોવા છતાં ઝનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરી દેવાયું હતું અને હવે પાછળથી પ્રસૂતાઓ, નવજાત , અને તબીબો કેટલીક બાબતોને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્રારા ગુજરાતની બીજી હ્યુમન મિલ્ક બેન્ક ઝનાના માટે મંજુર કર્યા બાદ આજસુધી સરકારના જ જીએમસીએએલ ડિપાર્ટમેન્ટ દ્રારા મિલ્ક બેન્ક માટે અતિ જરી અને અંદાજિત ૮ થી ૧૦ લાખની કિંમતનું પેસ્ચ્યુરાઇઝ મોકલવામાં ન આવતા આજદિન સુધી હ્યુમન મિલ્ક બેન્ક શ થઇ શકી નથી આ ઉપરાંત લોકલ લેવલે પણ કેટલીક ખરીદી બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે
કેટલીક ખરીદીમાં ગોબાચારી થયાની આશંકા
ઝનાના હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગ દ્રારા ફર્નિચર સહિતની તેમજ હોસ્પિટલ તત્રં દ્રારા કેટલીક લીનન જેવી લોકલ નાના–મોટી વસ્તુઓની ખરીદી કરવામાં આવી છે, આ ખરીદીના બિલમાં ભાવ તાલ તેમજ વાઉચર ઉપર ચુકવવામાં આવેલ રકમની જો ગાંધીનગરથી રસ પૂર્વક અને ઐંડાણ પૂવક તપાસ કરવામાં આવે તો મોટી ગોબાચારી નીકળે એવી શકયતા સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech