પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેના પ્રાથમિક અહેવાલમાં હૃદય રોગનો હુમલો આવી ગયાનું તારણ
જામનગરના વાઘેર વાડા વિસ્તાર રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયેશ નરશીભાઈ રાઠોડ નામના ૪૨ વર્ષીય ભરવાડ યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેનું હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ હોવાનું તારણ નીકળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશ નરસીભાઇ રાઠોડ નામના ૪૨ વર્ષના ભરવાડ યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું જાહેર કરાયું છે. જેની પ્રથમ પત્ની હયાત છે, પરંતુ તેણે વાઘેરવાડા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે પણ મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે, તે યુવતી હાલ બહારગામ હતી, અને દરમિયાન આજે સાંજે ભરવાડ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તેની પ્રથમ પત્ની પણ આવી ગઈ હતી, અને મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech