ધ્રોલના ખાખરા ગામે મંદિરો તથા દુકાનમાં ચોરી

  • August 23, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તસ્કરોનો તરખાટ : આભુષણો અને રોકડ મળી ૮૫ હજારનો મુદામાલ લઇ ગયા

ધ્રોલ તાલુકાના ખાખરા-૧ તથા ખાખરા-૨ ગામમાં અલગ અલગ મંદિરો, દુકાનમાં ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ આદરી હતી દરમ્યાન ૮૫ હજારનો મુદામાલ ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
ધ્રોલના ખાખરા વિસ્તારમાં મકાન, મંદિરો અને દુકાનમાં ચોરી થયાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ હતી, ગામમાં ત્રાટકીને તસ્કરોએ તરખાટ મચાવતા ધ્રોલ પોલીસનો કાફલો તાકીદે સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં ૩-૪ સ્થળને નિશાન બનાવ્યાનું સામે આવ્યુ હતું.
દરમ્યાન ધ્રોલના ખાખરા-૧ ગામમાં રહેતા ખેતીકામ કરતા કનકસિંહ જાલુભા જાડેજા (ઉ.વ.૫૨)એ ધ્રોલ પોલીસમાં ગઇકાલે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ચોરીની ફરીયાદ કરી હતી.
જણાવ્યા મુજબ ફરીયાદીના ગામ ખાખરામાં અલગ અલગ મંદિરો તથા દુકાનમાંથી સોના, ચાંદીના આભુષણો કિ. ૭૦૫૦૦ તથા રોકડા ૧૫૩૦૦ મળી કુલ ૮૫૮૦૦નો મુદામાલ ચોરી કરી ગયા છે. ફરીયાદના આધારે ધ્રોલ પીએસઆઇ પી.જી. પનારા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. મંદિરોમાં ચોરીનો બનાવ સામે આવતા ભાવિકોમાં કચવાટની લાગણી જન્મી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application