ટ્રેકટર મારફતે નીકળેલા યુવાનોનું પોરબંદરમાં થયુ સ્વાગત

  • September 04, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચારધામની બાર જ્યોતિર્લિંગની  ટ્રેકટર યાત્રાએ નીકળેલા બે યુવાનો પોરબંદર આવ્યા ત્યારે સદ્ભાવના સેવા મંડળના સભ્યોએ તેમનું સ્વાગત કર્યુ હતુ.
ચારધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રા નીકળેલ બે યુવાનો દ્વારિકા નાગેશ્ર્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને સોમનાથ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોરબંદર ખાતે તેમનુ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
પંચકેદાર ચારધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગ ટ્રેક્ટર લઈને યાત્રા પુર્ણ કરશે અત્યાર સુધીમાં કેદારનાથ બદ્રીનાથ નાગેશ્ર્વર અને સોમનાથ તરફ આગળ વધી રહ્યા છે તેઓ  નીતીશ નરવાલ અને આશિષ સરોહા મહામંડલેશ્ર્વર ૧૦૦૮ કૃષ્ણપુરી બાપુના શિષ્ય છે,તેઓ ગુહાણા ડિસ્ટ્રિક્ટ સાનીપત સ્ટેટ હરિયાણાથી આગળ વધી રહ્યા છે.આ માહિતી સદભાવના સેવા મંડળ પોરબંદરને મળતા સદભાવના સેવા મંડળના સભ્યો અતિ હર્ષ અને આનંદથી અને આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતાતેમનું ભવ્ય અને દિવ્ય સ્વાગત વિધિ કરવામાં આવી હતી અને  રાત્રે મહાસત્સંગનું આયોજન કર્યું હતુ,દશનામ ગોસ્વામી સમાજ છાંયાના સહયોગથી તેઓનો ઉતારો તેમના સમાજમાં આપેલ હતો. પોરબંદર ખાતે તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application