ધર્મેન્દ્ર રોડ પર કબા ગાંધીના ડેલા વાળી શેરીમાં રહેતા પ્રૌઢને સાંગણવા ચોક પાસે હતા તેની નાની બહેને થેલીમાં કોઇ વજદાર વસ્તુ વડે મારી દેતા પૌઢને આંખ પાસે ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.પ્રૌઢની ઓફિસ ખાલી કરવવા નાની બહેન આવરનવાર બોલાચાલી કરતી હોય દરમિયાન ગઇકાલે હુમલો કરી દીધો હતો.આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે મહિલા સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ધર્મેન્દ્ર રોડ પર કબા ગાંધીના ડેલાવાળી શેરીમાં આવેલા મકાનમાં રહેતા અરૂણભાઇ કાનજીભાઈ ગોંડલીયા (ઉ.વ. 59)એ તેના જ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા તેના નાના બહેન વષર્બિેન કાનજીભાઈ ગોંડલીયાએ વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર છે જે ચાર વર્ષથી વિદેશમાં રહે છે. તેઓ ચાર બહેન અને બે ભાઇમાં સૌથી મોટા છે. તેમના આ મકાનમાં ગ્રાઉન્ડ ફલોરમાં તેમના નાના બહેન વષર્બિેન રહે છે. જે અપરિણીત છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગઇકાલે સાંગણવા ચોક ખાતે,નીલદીપ હોટલ વાળી શેરીમાં નિમર્ણિ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોરમાં તેની ઓફિસ જેનું નામ કે.એચ.ગોંડલીયા એન્ડ સન્સ છે ત્યાં ગયા હતા.ઓફિસનું કામ પૂર્ણ કરીને બપોરના ત્રણેક વાગ્યે તેના ઘરે ગયા હતા, ત્યારબાદ રાત્રીના આઠેક વાગ્યે ફરિયાદી તેની ઓફીસે આવ્યા ત્યારે તેમાં મારેલા તાળામાં કેમિકલ કોઈકે નાખેલ હોય જે કેમિકલ કાઢવા માટે ફરિયાદીએ તાળામાં નાખવા નજીકની દુકાનમાંથી ઓઇલ લીધા બાદ રોડ પર આવેલ ફૂટપાથ પરથી ઉતરીને રોડની સાઈડમાં ઉભા હોય, ત્યારે આરોપી વષર્બિેન કાનજીભાઈ ગોંડલીયાએ ફરિયાદીને તું કેમ મારી ઓફિસમાં લગાવેલ તાળું ખોલે છે એમ કહી બોલાચાલી કરવા લાગેલ અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેની પાસે રહેલી એક થેલી જેમાં વજનવાળી કોઈ વસ્તુ હોય,જે ફરિયાદીને ડાબા નેણના ભાગે મારતા લોહીલુહાણ કરી,આંખના ભાગે ઇજા પહોંચાડતા ફરિયાદીના પત્ની અમિતાબેનએ ફરિયાદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી. અરૂણભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમના નાના બહેન વષર્બિેન અવારવનવાર ઓફિસ ખાલી કરવા બાબતે બોલાચાલી કરે છે.દરમિયાન ગઇકાલે તેમણે આ હમલો કરી દીધો હતો.આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech