કચ્છના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી તડકો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.
પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત ભુજ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉથી જ માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે આગાહી કરી છે કે 20 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. વધુમાં 26 મે સુધી આંધી અને વંટોળની શક્યતા પણ તેમણે દર્શાવી છે.
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે, જ્યારે કચ્છમાં પવન સાથે ગરમીનો અનુભવ થશે.
આજના વરસાદી ઝાપટાંએ લોકોને ગરમીથી થોડી રાહત અપાવી છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લાના અસામાજીક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી
March 21, 2025 12:38 PMખંભાળિયામાં આવતીકાલે રામા મંડળનું આયોજન
March 21, 2025 12:32 PMખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો જન્મદિવસ
March 21, 2025 12:29 PMખંભાળિયા: સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
March 21, 2025 12:27 PMખંભાળિયાના માનસિક અસ્વસ્થ આધેડે ઝેરી દવા પીધી: મૃત્યુ
March 21, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech