બેડી ગામે બે મંદિરને નિશાન બનાવી ચાંદીના છત્તરની ચોરી

  • June 21, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં અલગ– અલગ બે મંદિરોને તસ્કરે નિશાન બનાવી મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરી ગયો હતો. એક મંદિરમાંથી . ૩૫,૦૦૦ ના છત્તરની યારે અન્ય મંદિરમાંથી પિયા ૩૦,૦૦૦ ના ચાંદીના છત્તરની ચોરી કરી આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં બે અલગ–અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફટેજના આધારે બંને મંદિરમાંથી ચોરી કરનાર સામાકાંઠા વિસ્તારમાં રહેતા શખસને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર બેડી ગામમાં રહેતા જસમતભાઈ ઘોઘાભાઈ સાજરીયા(ઉ.વ ૫૦) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ઘરની બાજુમાં જ્ઞાતિના કુળદેવી મોમાઈ માતાનો મઢ આવેલો છે. જેની તેઓ સેવાપૂજા કરે છે.
ગત તારીખ ૧૮૬૨૦૨૪ ના વહેલી સવારના સાતેક વાગ્યે તેઓ અહીં માતાજીના મંદિરે દિવાબત્તી કરવા માટે ગયા હતા. બાદમાં અહીં દરવાજો બધં કરી ઘરે આવી ગયા હતા. ૧૦:૩૦ વાગ્યા આસપાસ કુટુંબીભાઈ મોહન સાજરીયા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, માતાજીના મઢ ખાતે તેઓ દર્શન કરવા જતા મઢ ઉપર છત્તર જોવામાં આવ્યું ન હતું.

જેથી ફરિયાદી તુરતં અહીં પહોંચ્યા હતા અને જોતા મોમાઈ માતાજી ઉપર રાખેલ ચાંદીનું છત્તર ૫૦૦ ગ્રામ કિં. . ૩૫,૦૦૦ ની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે તેમણે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.યારે આ પૂર્વે ગત તારીખ ૨૬૨૨૦૨૪ ના પણ અહીં બેડી ગામે ધાર્મિક સ્થળે ચોરીની ઘટના બની હતી. જે અંગે નવઘણ સિંગાભાઈ ગોલતર (રહે બેડી) દ્રારા આજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, બેડી ગામમાં બે મુખવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે જેમાં તેઓ સેવાપૂજા કરે છે. તારીખ ૨૬૨૨૦૨૪ ના સવારના સાતેક વાગ્યે તેઓ અહીં મંદિરે દિવાબત્તી કરવા માટે ગયા હતા. બાદમાં દરવાજો બધં કરી ઘરે આવી ગયા હતા. સાંજના છેક વાગ્યા આસપાસ તેઓ ફરી અહીં દિવાબત્તી કરવા જતા માતાજીના મંદિર ઉપર જણાવેલ ચાંદીના નાના–મોટા છત્તર આશરે ૪૫૦ ગ્રામ કિંમત પિયા ૩૦,૦૦૦ ની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.
બેડી ગામમાં મંદિરમાં થયેલી ચોરીની આ ઘટનાઓને લઈ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર. રાઠોડની રાહબરીમાં ટીમે સીસીટીવી ફટેજના આધારે તપાસ શ કરી હતી. બંને ચોરીમાં એક જ શખ્સ શંકાસ્પદ હીલચાલ કરતો નજરે પડો હતો. પોલીસે આ ફટેજના આધારે આ શખસને ઓળખી કાઢી ભગીરથ સોસાયટીમાં રહેતા આ શખસને ઝડપી લીધો હતો. સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તેણે આ બે મંદિર સહિત નવ જેટલી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application