મૈસૂર સિલ્કની સાડી પર રામાયણની વાર્તા કંડારતા 10 દિવસ, 100 ક્લાક લાગ્યા હતા
આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી તેના પલ્લુ પર રામાયણની મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, આ સાડી ચર્ચાનું કેન્દ્ર બની છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પહેરી સિલ્કની સાડી પહેરી હતી. સાડીની સુંદરતા એ હતી કે, તેની પર 'રામાયણ'ની વાર્તા દર્શાવવામાં આવી હતી,આલિયાની સાડીની કિંમત લગભગ 45,000 રૂપિયા.
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બૉલીવુડના દિગ્ગજ કલાકારો સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સિલ્કની સાડી પહેરી હતી.સાડી પર શિવ ધનુષ્ય તોડતા, રાજા દશરથનું વચન, ગુહા સાથે હોડીમાં સોનાનું હરણ, અપહરણ, રામ સેતુ, ભગવાન હનુમાન માતા સીતાને વીંટી ભેટ આપતા અને રામ પટ્ટાભિષેક જેવા દ્રશ્યો દોરવામાં આવ્યા હતા.
100 કલાકમાં તૈયાર થઈ હતી આ સાડી
આલિયાએ જે સિલ્ક સાડી પહેરે હતી તે ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે જણાવ્યું હતું કે, આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી. તેના પલ્લુ પર તમે રામાયણમાં વર્ણવેલ મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ જોઈ શકો છો. રામે શિવનું ધનુષ્ય તોડવું, રામને જંગલમાં જવાનું કહેવામાં, ગંગા પરનો પુલ, સુવર્ણ હરણ અને અપહરણ સહિતની અન્ય વિગતોનો ઉલ્લેખ છે. તેને પૂર્ણ કરવા માટે બંને કલાકારોએ 10 દિવસ સુધી સતત કામ કર્યું. આ એક કસ્ટમ મેડ સાડી છે.
જાણો કેટલી છે આ સાડીની કિંમત ?
ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે પણ જણાવ્યું કે, આલિયાની સાડીની કિંમત લગભગ 45,000 રૂપિયા છે.લોકોને આલિયાની આ સાડી ખૂબ જ પસંદ આવી રહી છે. આલિયાની સાથે તે રણબીર કપૂરના પણ વખાણ કરી રહી છે. આલિયાએ સાડી પહેરી હતી જ્યારે રણબીરે સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech