ધણ શેરી કે ગંધ શેરી?: જામનગરના મઘ્યમાં આવેલ ત્રણબતી વિસ્તારની આ ગલીમાં ગંદકીથી લોકો ત્રસ્ત

  • November 28, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અવારનવાર છલકાતી ગટરના કારણે એટલી હદે દુર્ગંધ ફેલાય છે કે વેપારીઓને બેસવામાં નાકે દમ: અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પરીણામ શુન્ય

જામનગર શહેરની મઘ્યમાં આવેલા અતિ વ્યસ્ત ત્રણબતી વિસ્તારની ધણ શેરી ખાડમાં ગંદકીથી ઉભરાતી ગટરોથી અને ફેલાતી દુર્ગંધથી વેપારીઓ ખુબ ત્રાસી ગયા છે અનેક રજૂઆતો છતાં કોઇ પરીણામ નહીં આવતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે, હાલમાં રોગચાળો પણ વકરી રહ્યો છે, એવા પ્રતિકુળ સંજોગોમાં શહેરની વચ્ચેના વિસ્તારોમાં પણ ગંદકીનો ત્રાસ હોવો એ મહાનગરપાલિકાના સતાવાહકોની સરેઆમ નિષ્ફળતાસમાન છે.
ધણ શેરી વેપારી વિસ્તાર છે અને દરરોજ સંખ્યાબંધ ગ્રાહકો પણ આ વિસ્તારમાં ખરીદી કરવા આવે છે, તસવીરમાં જોઇ શકાય છે કે, છલકાતી ગટરના કારણે રસ્તા પર એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે, ચાલીને જવું તો શકય દેખાતું જ નથી.
વેપારીઓએ એવી ફરિયાદ કરી હતી કે, છલકાતી ગટરના કારણે એટલી હદે વાસ આવે છે કે, દુકાનની અંદર બેસીને ધંધો કરવો પણ મોટી ચેલેન્જસમાન બની ગયો છે, આ સમસ્યા વારંવારની છે, અવારનવાર ગટર છલકાય છે, ગંદકી ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે, અનેક વખત મહાનગરપાલિકાના જવાબદારો સમક્ષ આ સમસ્યા સંબંધે ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઇ પરીણામલક્ષી કામગીરી થઇ ન હોવાના કારણે વેપારી વિસ્તાર ગંદકીને લઇને ત્રાસ વેઠી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application