ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં બોર્ડની લેવાનારી પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ શિક્ષણતત્રં દ્રારા શ થઈ ગયો છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સમાં ત્રણ વિષયોની પ્રાયોગિક પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિપ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્રારા તજજ્ઞો પાસે પ્રશ્નપત્ર પરિપ તૈયાર કરવામાં આવ્યા બાદ સ્કૂલોને મોકલી આપ્યા છે. જેથી ધોરણ–૧૨ સાયન્સની આગામી પરીક્ષામાં આ પરિપના આધારે પરીક્ષા લેવામાં આવશે. વિધાર્થીઓને અત્યારથી જ પરિપ મળી જતાં તેમને પરીક્ષા માટેની પુરતી તૈયારી કરવાનો સમય મળી રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સની પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિપ, ગુણભાર અને નમુનાના પ્રશ્નપત્રો તૈયાર કરીને તમામ સ્કૂલોને મોકલી આપ્યા હતા. જોકે, હવે બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા માટેના વિષયોના પ્રશ્નપત્ર પરિપ તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યા છે. જેથી બોર્ડે આ પ્રાયોગિક વિષયના પ્રશ્નપત્ર પરિપ પણ સ્કૂલોને મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે. જેથી આગામી ફેબ્રુઆરી માસમાં ધોરણ–૧૨ સાયન્સની પ્રાયોગીક પરીક્ષા આ પરિપના આધારે લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિપ તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યા છે. આ પ્રાયોગિક વિષયોના પ્રશ્નપત્ર પરિપ સ્કૂલોને મોકલી લેવાયા છે અને તેનો અમલ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ–એ પુસ્તક સિવાયનો રહેશે અને તેમાં એક પ્રશ્ન ૧૭ ગુણનો પુછાશે. યારે પાર્ટ–બી પુસ્તક સાથે હશે. જેમાં કુલ ૪ પ્રશ્નો પુછવામાં આવશે. જેમાં એક પ્રશ્ન ૧૭ ગુણનો, બે પ્રશ્નો ૬–૬ ગુણના અને એક પ્રશ્ન ૪ ગુણનો હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech