પોરબંદરએ ગાંધીજીની જન્મભુમિ છે અને શહેરમાં અનેક જગ્યાએ ગાંધીજીની પ્રતિમાઓ આવેલી છે,પરંતુ આ પ્રતિમાઓની જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે,તેના કારણે રાષ્ટ્રપિતાની ગરિમા જળવાતી નથી.આવી જ પરિસ્થિતિ કમલાબાગ પોલીસ મથક આગળ આવેલા ગાંધી પ્રતિમા સ્થળની છે કે એ જગ્યા વારંવાર ઉકરડામાં પરિવર્તિત થઈ જાય છે તો ગાંધીજીની પ્રતિમા ગોળીઓથી છલ્લી થઈ ગઈ હોય તેવી જર્જરીત બની ગઈ છે.તેથી હવે પોરબંદર નગરપાલિકાએ જનરલ બોર્ડની સ્પેશિયલ બેઠકમાં એવો ઠરાવ મંજુર કરવાનું નક્કી કર્યું છે કે વિશ્ર્વવિભૂતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેનું સંચાલન તેની બાજુમાં જ આવેલ કમલાબાગ પોલીસ મથકને સોંપી દેવામાં આવે તે જરૂરી છે આથી તે અંગે નિર્ણય લેવામાં આવનાર છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિઝબુલ્લાના નવા વડા બન્યા હાશેમ સફીદ્દીન, ભાઈ નસરાલ્લાહના મૃત્યુ પછી કમાન સંભાળશે
September 29, 2024 12:57 PMIIFA Award 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો, 'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત
September 29, 2024 11:58 AMદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech