ગુજરાત રાજ્ય માર્ગઅને વાહન વ્યવહાર નિગમનાં રાજકોટએસટી ડિવિઝન હેઠળનાં રાજકોટ ડેપોદ્વારા સનચાલીત કમાઉ દીકરા સમાન અને નફાકારક ગુર્જરનગરી એક્સપ્રેસ બસ રૂટ રાજકોટ. દીવ વાયા કોડીનાર છેલ્લ ા ઘણાં સમયથી અનિયમિત હોવાથી રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ પંથકના ઉતારુઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી, એસટી નિગમ, એસટી ડીવીજન રાજકોટ, એસટી ડેપો, રાજકોટ અને કોડીનારનાં ધારાસભ્ય સહિતના લોકોને રજુઆત કરી છે
મુસાફર જનતાનાં સૂત્રોનાં જણાવીયા મુજબ રાજકોટ-દીવ બસનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે ૧૨ વાગ્યાનો છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ બસ સાડાં બારથી પોણા એક વાગ્યાની આસપાસ ઉપડે છે જેના કારણે મુસાફર જનતા ભારે પરેશાનીનો સામનો કરે છે. આ બસની અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ધોરણે ઉકેલ આ બની બેઠેલા અધિકારીઓ કાઢતા નથી અને મુસાફરો વધુને વધુ હેરાન થાય તેમનવા નવા નુસખા અજમાવે છે. આનું કારણ જાણવા મળ્યુ કે રાજકોટ એસ ટી પાસે વાહન નહોવાને કારણે આ એક જ બસ રાજકોટ થી દીવ અને દીવ થી રાજકોટ વચ્ચે ચાલે છે જેથી સમય સર ઉપડતી નથી તો એસટી તંત્ર આ દીવ. રાજકોટ ટ ઉપર સામ સામી બે બસ મૂકે અને રાજકોટ-જુનાગઢ વચ્ચે નોન સ્ટોપ કરે તો જ રેગ્યુલર થાય કેમકે કેશોદ અને વેરાવળ પાસે ડાઈવર્ઝનનાં કારણે અડધીથી પોણી કલાક વધુ લાગે છે રાજકોટ ડેપોથી આ બસનું સંચાલન થતું ન હોઇ તો રાજકોટ ડિવિઝનનાં અન્ય ડેપોને ફાળવવા રજુઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech