જિલ્લા સહકારી સંઘમાં રાદડિયા જૂથના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

  • March 11, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા સહકારી સંઘના ૧૭ માંથી ૧૬ ડાયરેકટરો બિનહરીફ અને એક ડાયરેકટર ચૂંટણી જંગમાં વિજેતા બન્યા પછી આજે પ્રમુખ ઉપપ્રમુખ અને માનદ મંત્રીની ચૂંટણી રાખવામાં આવી હતી. આ તમામ હોદ્દા પર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના જૂથના ત્રણેય સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેનની જવાબદારી સંભાળનાર દિનેશભાઈ ભુવાને રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પ્રમુખપદની જવાબદારી સોપવામાં આવી છે. ડોકટર શીલુ સામે ચૂંટણી જગં લડીને વિજેતા બનેલા મનસુખભાઈ સંખારવાને માનદ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળતા મગનભાઈ વડાવીયા ને સંઘમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલ સંઘના કાર્યાલયમાં આજે બપોરે ચૂંટણી યોજવામાં આવી હતી. રાજકોટ ઝોન એકના પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારની નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી હતી. ત્રણેય મુખ્ય હોદ્દાઓ માટે માત્ર એક એક ફોર્મ આવ્યું હોવાથી ત્રણેયને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટાયેલા ત્રણેય હોદ્દેદારોને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, બેંકના ડાયરેકટર અરવિંદભાઈ તાળા, ઘનશ્યામભાઈ ખાટરીયા જિલ્લા ભાજપમાં મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ અભિનંદન આપીને ફુલહાર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application