રસ્તામાં બેભાન થઈ ગયેલા આધેડનો સિહોરના સમર્થ સ્કૂલના આચાર્યએ સીપીઆર આપી જીવ બચાવ્યો હતો. સવારના સમયે સમર્થ સ્કૂલમાં શિક્ષક ઇકબાલભાઈ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા તે વેળા એક મહિલા અને એક યુવાન રસ્તા વચ્ચે રડતા હતા નજર કરી તો એક આધેડ બેભાન હાલતે પડ્યા હતા. આથી આચાર્યએ સીપીઆર આપી જીવ બચાવી લીધો હતો.
સિહોરમાં વહેલી સવારે રસ્તા ઉપર આકસ્મિક આવી પડેલ આફતમાં સમર્થ શાળાના આચાર્ય ઇકબાલભાઈ જાણે દેવદૂત બનીને પરિવારની મદદે પોહચી ગયા હોય તેવું બન્યું હતું. વહેલી સવારે ઇકબાલભાઈ પોતાના નિયત સમયે શાળાએ જવા માટે નીકળ્યા હતા. રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર એક આધેડ બેભાન હાલતમાં પડ્યા હતા. અને પાસે એક મહિલા રડી રહી હતી, અન્ય એક યુવાન પણ મદદ માટે ત્યાં હાજર હતો. ઘટનાને જોઈ સમય સુચકતા વાપરી ઇકબાલભાઈએ જાણ્યું તો બેભાન પડેલ આધેડના પત્ની એ જણાવ્યું હતું કે અચાનક ઉલટી જેવું થતા બીપી હાઈ થઈ જતા અચાનક જ તે આધેડ બેભાન થઈ પડી ગયા હતા. સાથે ઉભેલ એક વ્યક્તિ દ્વારા ૧૦૮ ને જાણ કરી દીધેલ. પરંતુ ઈકબાલભાઈ દ્વારા જ્યાં સુધી ૧૦૮ પોહચે ત્યાં સુધી બેભાન આધેડ ના હૃદયને ધબકતું કરવા સી.આર.પી ની મદદ લઈને હૃદયને પંપિંગ કરવાનું શરૂ કરી દીધું. જેને લઈને સતત પંપિંગ દ્વારા થોડી વારમાં જ બેભાન આધેડના જીવમાં જીવ આવ્યો અને આંખો ખોલી ત્યાં સુધી ૧૦૮ સેવા પણ આવી પોહચી હતી. સી.આર.પી ટેક્નિક ના લીધે એક વ્યક્તિનો જીવ બચાવી શકાયો અને સાથે જ પરિવાર ને પણ તૂટતો બચાવી શકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PM'સ્ત્રી 3'માં રાજકુમાર સાથે શ્રદ્ધા જ હશે
September 20, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech