ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં જૂની અદાવતને લઈને મહિલાની કરેલી પોલીસ ફરિયાદ તથા આ કેસમાં સમાધાન કરી લેવા આરોપીઓએ ફરિયાદીને દબાણ કરતા ફરીયાદીએ સમાધાનની ના પાડતા આરોપીઓએ ફરીયાદી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે. જે હત્યાં કેસમાં પોલીસે અગાઉ ત્રણને ઝડપી લીધા હતા. જ્યારે ફરાર થયેલા મુખ્ય આરોપીને બોરતળાવ પોલીસે ઝડપી લીધો હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ની બાજુમાં 25 વારીયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારૂ (ઉ.વ.૪૪) ના પુત્ર ગૌતમને ઘર પાસે જ રહેતા શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા તથા રોહનભાઈ શંભુભાઈ સાથે માથાકૂટ થતા ગૌતમે બંને શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગૌતમના માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને વસ્તુ લેવા ગયા હતા. તે વેળાએ શૈલેષ અને રોહન તથા બે અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી. અને જણાવ્યું હતું કે તારા પુત્રએ કરેલો પોલીસ કેસ પોછો ખેંચી લે અને અમારી સાથે સમાધાન કરી લે આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાનની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મહિલાને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ અંગે ડી-ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને મહિલાની હત્યાં કેસમાં સામેલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી શખ્સ શૈલેષભાઇ ધનજીભાઈ મકવાણા ( રહે.આખલોલ જકાતનાકા) ફરાર થયો હતો. જેને બોરતળાવ પોલીસે ઝડપી.પાડ્યો હતો. અને મહિલાની હત્યાં અંગે શખ્સને ઝડપી બોરતળાવ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech