ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરી નં.૩ માં રહેતી કવીતાબેન (ઉ.વ ૩૦) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મંથન મનસુખ ગોહેલ, સસરા મનસુખભાઇ ગોહેલ, સાસુ શકુંતલાબેન (રહે. ત્રણેય ગોપાલકુંજ, ગાંધીગ્રામ શેરી નં.૩) અને જેઠ કેતન ગોહેલ (રહે. પુષ્કરધામ, કાલાવડ રોડ) ના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીને નવ વર્ષ પહેલા મંથન સાથે પ્રેમસંબધં હોય બાદમાં બન્નેએ કોર્ટમેરેજ કર્યા હતાં. બાદમાં બન્નેના પરીવારજનોની સહમતીથી ગાયત્રી મંદીરમાં લ કરેલ હતા. લ જીવન દરમ્યાન સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે, જે હાલ તેણીની સાથે રહે છે. તેણી સંયુકત પરીવારમાં રહેતી અને તેના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લ બાદ શઆતમાં ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ તેમના પતિ કહેતા કે, તું કરીયાવરમાં કાઇ લાવેલ નથી, તું કરીયાવર લઈ તુ નહી કરીયાવર નહીં લઇ આવ તો હત્પ તને તારા પીતાના ધરે મોકલી દઇશ તેમ ધમકી આપતા અને મારકુટ પણ કરતા હતાં. તેમજ તેણીના માતાપિતાને ગાળો પણ આપતાં હતાં. તેણીનો પતિ અવાર નવાર શંકાઓ કરતો અને ધરમાં જીવન જરીયાતની વસ્તુઓ પણ લઈ આપતો ન હતો. દીકરાનો જન્મ થયેલ બાદ તેણીના દીકરાની કોઈ સાર સંભાળ રાખતા નહી. તેણી બીમાર હોય ત્યારે પણ હોસ્પીટલ લઈ જતા નહીં અને સાર સંભાળ લેતા નહી, જેથી કંટાળી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે
શ્રી રેસીડન્સીમાં રહેતા સાસરિયા પુત્રવધૂનું ક્રીધન ઓળવી ગયા
હાલ અંબિકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ હાઇટસમાં રહેતી પરિણીતા જયોતિબેન(ઉ.વ ૪૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર આલાપ હેરીટેઝ પાસે શ્રી રેસીડન્સી ફલેટ નં.૮૦૨ માં રહેતા પતિ રવિભાઇ કાંતીભાઇ રાછડીયા,સસરા કાંતીભાઇ અને સાસુ જોશનાબેનના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું છે કે,પતિ સહિતના સાસરીયા નાની નાની વાતમાં ઝઘડા કરી ત્રાસ આપતા હોય તેણી માવતરના ઘરે આવી ગઇ હતી.બાદમાં તેઓ તેણીનું ક્રીધન પણ ઓળવી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech