પોલીસે હત્યા પ્રયાસ કેસમાં બે આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કર્યા બાદ તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરાયો: કોલેજીયન તરુણ પર હુમલા અને હત્યાના ચકચારી બનાવમાં પ્રેમ-પ્રકરણ કારણભૂત
જામનગર જિલ્લાના બેડમાં રહેતા અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક કોલેજીયન તરુણ પર આમરા ગામના એક શખ્સ અને તેના સાગરીતે ધોકા-પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધા પછી તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હુમલાખોર બંને આરોપીઓને હત્યા પ્રયાસ કેસમાં ઝડપી લઇ જેલ હવાલે કર્યા બાદ તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. જે હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડ માં રહેતા અને ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા અશોકભાઈ રાયસંગભાઈ લાલવાણી નામના શ્રમિકના ૧૭ વર્ષ પુત્ર અભય કે જેના પર આમરા ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા તેમજ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા એ લાકડાના ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઈ હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, જ્યારે કપાળના અને આંખના ભાગે પણ ઈજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે.
આ હુમલાના બનાવ અંગે ગત ૨૧મી તારીખે અશોકભાઈ લાલવાણીએ આમરાના જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સામે પોતાના પુત્ર પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ પુત્રનો મોબાઇલ ફોન તોડી નાખવા અંગેની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સિક્કાના પી.આઇ. વી. જે. રાઠોડ અને તેમની ટીમે તપાસના અંતે બંને હુમલાખોર આરોપીઓની અટકાયત કરી હતી. સૌપ્રથમ તેમાં કલમ ૩૦૭ નો ઉમેરો કરીને બંનેને જેલ હવાલે કરાયા હતા, અને હુમલામાં વપરાયેલા લાકડી પાઇપ સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
દરમિયાન સારવાર હેઠળ રહેલા કોલેજીયન તરૂણ નું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે, અને પોલીસ દ્વારા તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરાયો છે. સમગ્ર મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જે પ્રકરણની વધુ તપાસ સિક્કાના પી.આઈ. વી.જે. રાઠોડ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech