વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બનેલી એનડીએ સરકાર દ્વારા 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં મોદી ગેરંટીની છાપ જોવા મળી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદીની ગેરંટી તરીકે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા માટે આ બજેટમાં વ્યવસ્થા કરવામાં આવશે. જાહેરનામામાં સમાજના વિવિધ વર્ગો માટે જાહેરાતો કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પોતાના મોટા વચનો પૂરા કરવા માટે ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં લોકોની અપેક્ષા મુજબ વિવિધ જાહેરાતો કરી શકે છે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળી શકે છે. ગરીબો માટે 2029 સુધી મફત રાશન, પીએમ આવાસમાં ત્રણ કરોડ ઘર, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, ત્રણ કરોડ લાખપતિ દીદી,સહિતની સુવિધાઓ ઉપરાંત ઇકોફ્રેન્ડલી શહેર વિકાસ, ઇવી ચાર્જિંગ સ્ટેશન, ટ્રક ડ્રાઇવરો માટે હાઇવે પર 1000 રેસ્ટ હાઉસ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપ્ના સહીત બજેટમાં લોકોની અપેક્ષા મુજબ વિવિધ જાહેરાતો થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMસાવધાન: ડાયાબિટીસને કારણે બની શકો છો અંધ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ખાશ ધ્યાન
September 20, 2024 04:42 PMશહેરના બાર્ટન લાઈબ્રેરી નજીક ઈદના ઝુલુસ દરમ્યાન બે સગા ભાઈઓ પર ૫ શખ્સોનો હુમલો
September 20, 2024 04:30 PMભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો
September 20, 2024 04:29 PMશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech