ખંભાળિયાના અગ્રણી વેપારીના પૌત્રએ મુંબઈમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ડંકો વગાડ્યો

  • June 24, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

97 ટકા માર્ક્સ સાથે ઉતીર્ણ


ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી મનુભાઈ બરછા  (ઘી વાળા) ના પુત્ર કૃપાલ બરછા કે જે મુંબઈમાં મીરા રોડ ખાતે રહે છે. તેમના દસમા ધોરણમાં અભ્યાસ કરતા તેજસ્વી પુત્ર જય કૃપાલભાઈ બરછાએ તાજેતરમાં મુંબઈની જાણીતી શૈક્ષણિક સંસ્થા દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 97 ટકા માર્કસ મેળવી અને ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે. આ નોંધપાત્ર ટકાવારી સાથે ઉતીર્ણ થનાર જય બરછાને કોમ્પ્યુટર એન્જિનિયર થવાની મહેચ્છા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application