વેરાવળના ભાલપરાની સીમમાંથી વન વિભાગે દીપડાને રેસ્કયુ કરી પાંજરે પૂર્યો

  • February 06, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકાના ભાલપરા ગામની સીમમાં આવેલ મીતેશ શાહની વાડીમાં ઢોર બાંધેલા ઢાળીયામાં દિપડો આવી ચડતા એક વાછરડીનું મારણ કર્યું હતું. આથી વાડી માલીકે વનવિભાગને જાણ કરતા જુનાગઢ ડીસીએફની સુચના અને વેરાવળ એસીએફના માર્ગદર્શન હેઠળ આરએફઓ વેરાવળ પંપાણીયા, વેટરનરી ડોક્ટર વી.વી.અપારનાથી, ફોરેસ્ટ એન.એમ. પંપાણીયા, વન રક્ષક કે.કે.જોષી, ૪ ટ્રેકર અને બે લેબર દ્વારા દિપડાને ઢાળીયાની બહાર કાઢવા રેસ્કયુ શરૂ કરવામાં આવેલ જેમા દિપડા નખ લાગતા બે વ્યક્તિ ને સામન્ય ઇજા પહોંચી હતી અને આ દિપડાને મહા મુશીબતે બેભાન કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને અમરાપુર એનિમલ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છેે.
આ વિસ્તારમાં બે દિવસમા બે દિપડા પાંજરે પુરાયેલ છે તા.૪ના ઉકડીયા ગામે ચાર વર્ષના બાળકને મારી નાખેલ તે દિપડાને પાજરામાં પુરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application