મોરબી બગથળા નજીક ત્રણનો ભોગ લીધેલ હતો તે ફેકટરીમાં ફરી આગ લાગી

  • February 02, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટીક નામની ફેકટરીમાં એક માસ પૂર્વે દુર્ઘટના સર્જાઈ હતી જે આગની ઘટનામાં ફેકટરીના પાર્ટનર સહીત ત્રણના કરુણ મોત નીપજ્યા હતા જે ફેકટરીમાં આશરે એકથી સવા માસના સમય બાદ ફરીથી મશીનરીમાં આગ લાગતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. બગથળા પાસ આવેલ ઈવા સિન્થેટીક ફેકટરીમાં આજે સાંજના સુમારે આગ લાગી હતી જેથી મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના જવાનો ફેક્ટરી ખાતે દોડી ગયા હતા અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી કંપનીમાં મશીન ચાલુ કરવા માટે ટેસ્ટીંગ ચાલતું હોય ત્યારે મશીનરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application