ભાવનગર સહિત રાજ્યમાં ઉદ્યોગ મંદીથી રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ત્યારે તેમને મદદ આપવા માટે ભાવનગર તેમજ ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર હોવાનું અને ટુંક સમયમાં જ હિરા ઉદ્યોગને મંદીના વમળમાંથી ઉગારવા માટે એક્શન પ્લાન બાનાવવાની મુખ્યમંત્રી દ્વારા અપાયેલી હૈયાધારણા મુજબ સરકારે એક કમિટી રચી દીધી હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
મુખ્યમંત્રીની અધ્યક્ષતા સાથેની કમિટીના સચિવ એમ. કે. દાસ સંભવત સોમ અથવા મંગળવારે મળનારી બેઠકમાં હિરા ઉદ્યોગને ઉગારવા સરકાર ક્યાં પ્રકારે મદદરૂપ બની શકે તે સહિતના મુદ્દે ચર્ચાઓ થશે. વિશ્વમાં ૧૦ ડાયમંડનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી ૯ ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત ભાવનગર અને અમરેલી તેમજ બોટાદ મળી સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત, અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે. પરંતુ છેલ્લાં ૫૦ વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહોલિકા દહન 2025 મુહૂર્ત: ભદ્રાને કારણે આ સમય પછી કરવું જોઈએ હોલિકા દહન
March 13, 2025 04:17 PMગુજરાતમાં 50 વર્ષના ઇતિહાસમાં મંદીના વમળમાં ફસાયો, હવે રત્નકલાકારોને ઉગારવા સરકારે કમર કસી
March 13, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech