સલાયાના પાણીના ટેન્કરનો ભાવ ઓછો કરવા નગરપાલિકાના સભ્યની માંગણી

  • November 22, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા નગર પાલિકા દ્વારા ઘણા સમયથી પાણીના ટેન્કર માટે ૬૦૦ રૂપિયા લેવામાં આવે છે. જ્યારે કોઈ સમાજ વાડી અથવા સાર્લજનિક સંસ્થાઓ, મંદિરો તેમજ ગૌ શાળા અને મસ્જિદમાં પાણીની જરુરિયાત હોઈ ત્યારે પાણીના ટેન્કરના ૬૦૦ લેવામાં આવે છે. જે ખરેખર ફ્રી માં આપવા જોઈએ. તેમજ અન્ય સ્થળોએ પાણીના ટેન્કરના નગર પાલિકા ૬૦૦ રૂપિયા લે છે એ ૩૦૦ રૂપિયા લેવા જોઈએ એવી લેખિતમાં સલાયા નગર પાલિકાના વોર્ડ નંબર એક ના ભાજપના પૂર્વ સદસ્ય ભરતભાઈ લાલ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ માંગણી કરાઇ છે.હાલમાં જ લાલજી મંદિર ગૌશાળા માં ગાયો માટે પાણીની જરુરિયાત ઊભી થઈ હોઈ જેમાં ગૌશાળા માં સંચાલકે ૨૪૦૦ રૂપિયા ભરી અને પાણીમાં ટેન્કર મંગવવા પડ્યા હતા.આં ગૌશાળા માં સેકડો ગાયોને દરરોજ ઘાસ ચારો નાખવામાં આવે છે. ત્યાં ગાયો માટેનું પાણી વહેચાતું લેવું પડે એ અયોગ્ય હોઈ સલાયા નગર પાલિકાના સદસ્યએ લેખિતમાં ચીફ ઓફીસર સમક્ષ માંગણી કરી છે જેની રજૂઆત ગુજરાત મુખ્ય મંત્રી તેમજ કેબિનેટ મંત્રી સમક્ષ પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application