જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ભાવનગરમાં કરાયા સન્માનિત

  • September 06, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં ૫મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ’શિક્ષક દિવસ’ ઉજવવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વિદ્યાધીશ વિદ્યા સંકુલ સ્કૂલ, કાળીયાબીડ ખાતે યોજાયો હતો.
આ સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરીને સન્માનિત કરાયા હતા. સાથે જ, અલગ અલગ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ધારૂકા કે.વ.શાળા ઉમરાળાના  પરેશભાઈ મેર, પાલીતાણાની  જાળીયા કે.વ.શાળાના જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ, જમણવાવ પ્રા.શાળાનાં  સ્નેહલબેન એચ.ત્રિવેદી, ઉમરાળાની રામણકા કેન્દ્રવતી શાળાના જીતેન્દ્રભાઈ પટેલને જિલ્લા/તાલુકા કક્ષાના પારિતોષિક થી નવાજવામાં આવ્યા હતા. 
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યારે શિક્ષણની બધી પ્રવૃત્તિઓમાં શિક્ષકો આગળ વધી રહ્યા છે. તેમણે બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે તેમ જણાવીને સૌને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રમુખ રૈયાબેન મિયાણી,મેયર ભરતભાઈ બારડ,ધારાસભ્ય સેજલબેન પંડ્યા,આગેવાન અભયભાઇ ચૌહાણ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, મદદનીશ કલેકટર આયુષી જૈન, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ, ડો.જી.એમ. સુતરીયા સહિત પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો,નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application