મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર છોડ્યો

  • September 22, 2023 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાહી ઈદગાહ મસ્જિદના સર્વે જેવી જ્ઞાનવાપીની માંગ પર સુપ્રીમ કોર્ટ તરફથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કૃષ્ણના જન્મસ્થળ, મથુરાના શાહી ઇદગાહ મસ્જિદ–જ્ઞાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યેા હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને મસ્જિદના સર્વે અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુકિત નિર્માણ ટ્રસ્ટ દ્રારા વિવાદિત મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે વિનંતી કરી હતી કે જ્ઞાનવાપી સર્વેની જેમ આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થળનું ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ જાણી શકાય.

શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ?
કાશી અને મથુરા વચ્ચેનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે ૧૬૬૯માં કાશીમાં વિશ્વનાથ મંદિરને તોડી પાડું હતું અને ૧૬૭૦માં મથુરામાં ભગવાન કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યેા હતો. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મથુરામાં આ વિવાદ કુલ ૧૩.૩૭ એકર જમીન પર માલિકી હક્ક સાથે સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણના જન્મસ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application