જામનગરમાં પદયાત્રી સંઘને પ્રસ્થાન કરાવાયું

  • April 13, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરથી સતત ૩૨ માં વર્ષે ભેળીયાવાળી ખોડીયાર મિત્ર મંડળ દ્વારા આયોજન


જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેળીયાવાળી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા જામનગર થી માટેલ ની પદયાત્રાના સંઘનું આયોજન કરવામાં આવે છે. સતત ૩૩માં વર્ષે આયોજિત આ પદયાત્રીઓના સંઘને જામનગર શહેરના ધારાસભ્ય તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓનો સમૂહ જોડાયો છે.



જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેળીયાવાળી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા આજ રોજ સતત ૩૨ માં વર્ષે પદયાત્રા સંઘ ને જોડવામાં આવ્યો છે અને પંચેશ્વર ટાવર પાસે થી સંઘ ઉપાડવામાં આવ્યો હતો. 


આ પ્રસંગે દીપ પ્રાગટ્ય તથા ઝંડી આપવા માટે ધારાસભ્ય દીવ્યેશ અકબરી, નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી, રાજપૂત યુવા અગ્રણી જગદીશસિંહ હકુભા જાડેજા, જાણીતા બિલ્ડર ભાવેશભાઈ ગાગિયા (બાદશાહ ભાઈ), તેમજ મિત્ર મંડળ ના હોદેદારો હાજર રહ્યા હતા, અને સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી ભાઈઓ- બહેનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application