ઓરેવા અને જયસુખ પટેલ સામેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ ન કરાતા હાઈકોર્ટ નારા

  • July 24, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે કોર્ટના આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વયર્િ ગુપ્તાની નિમણૂંક કરી હતી જે સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. હાઇકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હાલ ચીફ ઓફ્સિર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે. તો, ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખ પટેલ વિરૂધ્ધ પણ ક્રિમીનલ પ્રોસીકયુશન ચાલુ હોવાનુ જણાવેલ તેમજ ઓરેવા ગૃપ સામે જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો.

મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. આ ઉપરાંત રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ગઈકાલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વયર્િ ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. હાઇકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો
નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઇ એક જગ્યાએ બોલાવવા નહી. કલેકટર ઓફ્સિ તેમને લોજિસ્ટીક સપોર્ટ આપશે પરંતુ બધાને વ્યકિતગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે. આ કેસમાં કોર્ટ સહાયક તરીકે વરુણ પટેલ પણ પીડિતોની મુલાકાત વખતે તેમની સાથે રહેશે. જો કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઐશ્વયર્િ ગુપ્તા દ્વારા જ પીડિતોની મુલાકાત અને તેમની બુનિયાદી સાચી સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરાશે.
 દરમ્યાન ગત સુનાવણીમાં સરકાર તરફ્થી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી, જેને પગલે રાજય સરકાર દ્વારા આજે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો અને જણાવાયું હતું કે, પીડિતોની દેખરેખ અને કલ્યાણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિ સમયાંતરે પીડિતોને મળશે. બેંક ખાતા અને કોર્પસ ફ્ંડ બનાવવા ટ્રસ્ટ વ્યકિતઓનો સંપર્ક કરવા માટે તેમના માટે એક સમર્પિત મોબાઇલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે રાજય સરકારને મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવાઇ છે અને ચીફ્ ઓફ્સિર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે. તો, ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખ પટેલ વિરૂધ્ધ પણ ક્રિમીનલ પ્રોસીકયુશન ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application