ગુજરાત સરકાર પ્લાસ્ટિક પ્રદુષણને લઇ હાઈકોર્ટ મા અટવાય પડી છે.જાહેર ધાર્મિક સ્થળ,વન વિસ્તાર, મહાનગર પાલિકા અને પાલિકા વિસ્તાર મા વધતા પ્રદુષણને મુદે લઈ જાહેરહિતની અરજીમા ખાસ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિત ના મુદ્દે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં નોંધ્યું છે કે સંબંધિત એકમો જે રીતે સંબંધિત નિયમો હેઠળ જરૂરી પરવાનગીઓ વિના જ કામ કરી રહ્યા હતા, તે સ્પષ્ટ કરે છે કે શહેર મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના વડા તરીકે તેમની જવાબદારી પ્રત્યે બેધ્યાન હતા.’ એટલું જ નહીં હાઇકોર્ટની ખંડપીઠે અગાઉના આદેશને ફરીથી ટાંકતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે માટે એડવોકેટ જનરલ દ્વારા જવાબ આપવામાં આવે અને આગામી સુનાવણી સુધીમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું સોગંદનામું કરવામાં આ કેસની વધુ સુનાવણી 1લી ઓક્ટોબરે હાથ ધરવામા આવશે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્શનના અહેવાલો અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો દશર્વિે છે કે બંને સત્તાવાળાઓએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016ની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના કરી છે. પ્લાસ્ટિક કચરાના અલગીકરણ, સંગ્રહ, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપ્ના માટે નિયમ 6 હેઠળ સ્થાનિક સંસ્થાની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી છે. સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની રીતે અને ખાનગી ઓપરેટરોની સંલગ્નતા દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સુવિધાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લ ંઘન કરવામાં આવ્યું છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જીપીસીબીના રિપોર્ટમાં જે ચોંકાવનારી હકીકતો રેકોર્ડ પર આવી છે, તે સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જરૂરિયાતથી અજાણ હતા.
હાઈકોર્ટે શહેરમાં એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરતા ત્રણ ઓપરેટરોની સંલગ્ન પ્રક્રિયા અંગેના દસ્તાવેજો મંગાવ્યા હતા. તે આગળ ઓપરેટરોને કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત સમગ્ર મૂળ રેકોર્ડની માગણી કરે છે. કોર્ટે મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ સાથે કોન્ટ્રાક્ટર અને સિટી કોર્પોરેશન દ્વારા નિયમો અનુસાર રજૂ કરેલા વાર્ષિક અહેવાલો મંગાવ્યા છે.કોર્ટે તેના 17મીસપ્ટેમ્બરના આદેશમાં જીપીસીબીની રજૂઆતની નોંધ લીધી હતી કે એવું જાણવા મળ્યું હતું કે જ્યાં કચરાની પ્રોસેસ ક2વામાં આવે છે તે ત્રણ એકમોમાંથી કોઈએ પણ તેને હાથ ધરવા માટે બોર્ડ પાસેથી કોઈ પરવાનગી લીધી નથી. તેમજ તેમના દ્વારા પ્રક્રિયા કરાયેલા કચરાના જથ્થાને સમર્થન આપતા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા ન હતા.ઇ તમામ બાબતોની ગંભીરતાથી નાંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech