ગુજરાત સરકાર પ્લાસ્ટિક પ્રદુષણને લઇ હાઈકોર્ટ મા અટવાય પડી છે.જાહેર ધાર્મિક સ્થળ,વન વિસ્તાર, મહાનગર પાલિકા અને પાલિકા વિસ્તાર મા વધતા પ્રદુષણને મુદે લઈ જાહેરહિતની અરજીમા ખાસ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિત ના મુદ્દે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં નોંધ્યું છે કે સંબંધિત એકમો જે રીતે સંબંધિત નિયમો હેઠળ જરૂરી પરવાનગીઓ વિના જ કામ કરી રહ્યા હતા, તે સ્પષ્ટ કરે છે કે શહેર મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના વડા તરીકે તેમની જવાબદારી પ્રત્યે બેધ્યાન હતા.’ એટલું જ નહીં હાઇકોર્ટની ખંડપીઠે અગાઉના આદેશને ફરીથી ટાંકતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે માટે એડવોકેટ જનરલ દ્વારા જવાબ આપવામાં આવે અને આગામી સુનાવણી સુધીમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું સોગંદનામું કરવામાં આ કેસની વધુ સુનાવણી 1લી ઓક્ટોબરે હાથ ધરવામા આવશે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્શનના અહેવાલો અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો દશર્વિે છે કે બંને સત્તાવાળાઓએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016ની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના કરી છે. પ્લાસ્ટિક કચરાના અલગીકરણ, સંગ્રહ, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપ્ના માટે નિયમ 6 હેઠળ સ્થાનિક સંસ્થાની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી છે. સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની રીતે અને ખાનગી ઓપરેટરોની સંલગ્નતા દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સુવિધાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લ ંઘન કરવામાં આવ્યું છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જીપીસીબીના રિપોર્ટમાં જે ચોંકાવનારી હકીકતો રેકોર્ડ પર આવી છે, તે સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જરૂરિયાતથી અજાણ હતા.
હાઈકોર્ટે શહેરમાં એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરતા ત્રણ ઓપરેટરોની સંલગ્ન પ્રક્રિયા અંગેના દસ્તાવેજો મંગાવ્યા હતા. તે આગળ ઓપરેટરોને કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત સમગ્ર મૂળ રેકોર્ડની માગણી કરે છે. કોર્ટે મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ સાથે કોન્ટ્રાક્ટર અને સિટી કોર્પોરેશન દ્વારા નિયમો અનુસાર રજૂ કરેલા વાર્ષિક અહેવાલો મંગાવ્યા છે.કોર્ટે તેના 17મીસપ્ટેમ્બરના આદેશમાં જીપીસીબીની રજૂઆતની નોંધ લીધી હતી કે એવું જાણવા મળ્યું હતું કે જ્યાં કચરાની પ્રોસેસ ક2વામાં આવે છે તે ત્રણ એકમોમાંથી કોઈએ પણ તેને હાથ ધરવા માટે બોર્ડ પાસેથી કોઈ પરવાનગી લીધી નથી. તેમજ તેમના દ્વારા પ્રક્રિયા કરાયેલા કચરાના જથ્થાને સમર્થન આપતા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા ન હતા.ઇ તમામ બાબતોની ગંભીરતાથી નાંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech