વિશ્વબંધુત્વ રકતદાન કેમ્પનું ઉદઘાટન પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે કરાશે

  • October 12, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના જાણીતા સમાજ શ્રે ી, સૌરાષ્ટ્ર્રના ભામાશા અને રાજકોટ શહેરના તેમજ સૌરાષ્ટ્ર્રના પાટીદાર સમાજના મોભી, બાન લેબ્સ લિ.ના ચેરમેન અને અનેક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, અને ધાર્મિક સંસ્થાઓના પ્રહરી એવા મૌલેશભાઈ ઉકાણીની ષ ીપૂર્તિ નિમિત્તે રાજકોટ શહેરમાં વિશ્વબંધુ રકતદાન મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં તા. ૧૫ ઓકટો. ને રવિવારના રોજ અમૃત ઘાયલ હોલ ખાતે ૨૭૦૦થી વધુ સમાજના તમામ વર્ગ, ધર્મ, અને જ્ઞાતીના રકતદાતાઓ વિશ્વ બંધુત્વની ભાવનાથી જોડાય રકતદાન કરશે. આ રકતદાન કેમ્પનું ઉધ્ઘાટન ભા.જ.પા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના શુભ હસ્તે કરવામાં આવશે. આ કેમ્પમાં જોડાવા અને સૌને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સમાજ કલ્યાણ ખાતાના મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, મેયર રાજકોટ નૈનાબેન પેઢળીયા, ઉપરાંત સૌરાષ્ટ્ર્રના તમામ ધારાસભ્યો જેમાં જયેશભાઈ રાદડિયા, ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, કાંતિભાઈ અમૃતિયા,  દુર્લભજીભાઈ દેથરીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક અગ્રણી નરેશભાઈ પટેલ, કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લ ા વિકાસ અધિકારી દેવ ચૌધરી વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.


અત્યાર સુધીમાં ૨૫૦૦ જેટલા રકતદાતાઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. રાજકોટ સર્વ ધર્મ સમભાવ સમિતિ દ્રારા તમામ રકતદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાડી વિધાપીઠના હોમિયોપેથ, આયુર્વેદ તેમજ નસિગ કોલેજના વિધાર્થીઓ વોલિએન્ટર્સ તરીકે સેવા આપનાર છે.આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, મેટોડા જીઆઇડીસી,  શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ જીઆઇડીસી, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ ગ્રેટર ચેમ્બર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન, રાજકોટ બાર એસોસિએશન, સમર્પણ ચેરીટેબલ, પુષાર્થ યુવક મંડળ, કડવા પાટીદાર સમાજ, વલ્લ ભ યુથ ઓર્ગેનાઈઝેશન, ઉમિયાધામ સીદસર, જેવી અનેકવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો મૌલેશભાઈ ઉકાણી ના જન્મદિવસ નિમિત્તે આયોજિત વિશ્વબંધુ રકતદાન કેમ્પમાં રકત તુલા કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવા ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ રવિવારે સવારે ૭:૩૦ કલાકથી શ થનાર છે ત્યારે રાજકોટ સર્વ ધર્મ સમભાવ સમિતિ તરફથી મુકેશ દોશી તેમજ ડી. વી. મહેતા રાજકોટ શહેરના યુવાનોને, સમાજના તમામ લોકોને થેલેસેમિયાના બાળકો માટે અત્યતં આવશ્યક એવા રકતની જરીયાતમાં મદદપ થવા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રકતદાન કરવા આગળ આવવા માટે જાહેર અપીલ કરે છે.


આયોજનને સફળ બનાવવા માટે મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા, મનીષભાઈ માદેકા, મુકેશભાઈ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશભાઈ ભીમાણી, જગદીશભાઈ કોટડીયા, ભરતભાઈ ગજીપરા, જયેશભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, ગુણવંતભાઈ ડેલાવાળા, હરીશભાઈ લાખાણી, ડો. પારસભાઈ શાહ, અમૃતભાઈ ગઢીયા, જતીનભાઈ ભરાડ, ડેનીશભાઈ પટેલ, કિરીટભાઈ આદરોજા, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પાચાણી, સર્વાનન્દભાઈ સોનવાણી, પ્રભુદાસભાઈ પારેખ, ઘનશ્યામભાઈ હેરભા, બાકીરભાઈ ગાંધી અને યુસુફભાઈ માકડાની આગેવાનીમાં વિશ્વ બંધુત્વ કાર્યકારી (વકિગ) સમિતિના સભ્યો સર્વે અનુપમભાઇ દોશી, કલ્પેશભાઈ પટેલ, રવિભાઈ ચાંગેલા, સહદેવભાઈ ડોડીયા, જયદીપભાઇ કાચા, કિશોરભાઈ રાઠોડ, પરિમલભાઇ પરડવા, યશવંતભાઈ ગૌસ્વામી, ચંદુભાઈ પરમાર, દેવાંગભાઈ માકડ, જયેશભાઈ સોરઠીયા, નયનભાઈ રાણપરા, અજયભાઈ પટેલ, મિતલભાઈ ખેતાણી, કલ્પેશભાઈ ઊકાણી, સુનીલભાઇ વોરા, નલિનભાઇ તન્ના, સર્વેશ્વરભાઇ ચૌહાણ, રામભાઇ ગરૈયા, સુદીપભાઇ મેહતા, પ્રવીણભાઈ ગોંડલિયા, અજયભાઈ રાજાણી, રાજકુમારભાઇ ઉપાધ્યાય, રાણાભાઇ ગોજીયા, વિનુભાઈ લોકીલ, વિનુભાઈ મણવર, કૌશિકભાઈ રાબડીયા, ઉપેનભાઈ મોદી, અરવિંદભાઈ સોલંકી, ઇબ્રાહીમભાઇ સોની, નીરજભાઈ પટેલ, શૈલેષભાઈ જાની, અમિતભાઈ ભાણવડીયા, જીેશભાઈ રાઠોડ, રોનકભાઈ ગદ્રે, ડેનીભાઈ દધાણિયા, આદિત્યભાઈ ચાંગેલા, મંથનભાઈ દધાણિયા, પાર્થભાઈ ગોધાણી તેમજ યોતિબેન ટીલવા દ્રારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application