મુંબઈમાં 26-11ના આતંકી હુમલાના મહત્વના આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને સ્પેશિયલ એનઆઈએ જજ ચંદ્રજીતસિંહે ૧૮ દિવસની રિમાન્ડ પર એનઆઈએને સોંપ્યો હતો. ગઈ મધરાતે યોજાયેલી કોર્ટ કાર્યવાહીમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં ગુરૂવારે સાંજે 6:30 કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લવાયો હતો, જ્યાં એનઆઈએએ સત્તાવાર રીતે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો.
રાણા 18 દિવસ સુધી એનઆઈએ કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેમની વિગતવાર પૂછપરછ કરશે, જેમાં કુલ 166 લોકોની હત્યા કરાઈ હતી અને 238 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
બિઝનેસ જેટમાં લવાયો 26/11 નો આતંકવાદી
મુંબઈમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલા આતંકી હુમલાનું કાવતરૂ ઘડવામાં તહવ્વુર રાણાની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે, અમેરિકાએ 2009માં ડેન્માર્કમાં એક આતંકી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે રહસ્યમય રીતે રાણાને અમેરિકાના લોસ એન્જેલસથી ભાડાંના એક સુપર મીડ-સાઈઝ બિઝનેસ જેટમાં નવી દિલ્હી લવાયો હતો.
તહવ્વુર રાણા ની જુબાની પછી આટલી કડી ખુલવાની સંભાવના
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણથી 26/11 હુમલાના કાવતરા સાથે સંબંધિત કડીઓ ખુલી શકે છે, તેની પૂછપરછ બાદ અત્યાર સુધી ધરબાયેલા રહસ્યો સામે આવી શકે છે. આ શકમંદોની યાદી અહી પ્રસ્તુત છે.રાણા મુંબઈ હુમલાના દરેક પગલાનો સાક્ષી રહ્યો છે. આ કેસમાં તેનું ભારત પ્રત્યાર્પણ સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. તેમની જુબાની માત્ર બાકીના આતંકવાદીઓની ઓળખ અને ભૂમિકા સ્પષ્ટ કરી શકતી નથી પરંતુ પાકિસ્તાનના ખોટા દાવાઓનો પણ પર્દાફાશ કરી શકે છે.
માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ
તહવ્વુર રાણાના સૌથી નજીકના મિત્ર ડેવિડ કોલમેન હેડલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હાફિઝ સઈદ આ સમગ્ર હુમલાનો પ્લાનર હતો. રાણા દ્વારા, હાફિઝ સઈદની ભૂમિકા, તેની વાતચીત, તાલીમ અને મગજ ધોવાની આંતરિક વિગતો જાહેર કરી શકાય છે.
ઓપરેશન કમાન્ડર ઝાકીઉર રહેમાન લખવી
રાણાની મદદથી, લખવીએ હુમલા દરમિયાન 10 આતંકવાદીઓ કેવી રીતે પસંદ કર્યા, લક્ષ્યો નક્કી કર્યા અને કરાચી કંટ્રોલ રૂમમાંથી કેવી રીતે આદેશો આપ્યા તે જાણી શકાય છે.
પ્રોજેક્ટ મેનેજર સજ્જાદ મીર
હેડલીની જુબાનીમાં હુમલાખોરોના ટ્રેનર સજ્જાદ મીરનું નામ ઘણી વખત સામે આવ્યું. રાણા પાસે તેની સાથે થયેલી વાતચીત અને આયોજન વિશે માહિતી હોઈ શકે છે.
આઈએસઆઈ કનેક્શન: મેજર ઇકબાલ
રાણા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની ભૂમિકાનો પર્દાફાશ થઈ શકે છે. મેજર ઇકબાલે હુમલાના કાવતરામાં માત્ર પૈસા જ રોક્યા ન હતા, પરંતુ હેડલીને સૂચનાઓ અને સંસાધનો પણ પૂરા પાડ્યા હતા. રાણા આ પાકિસ્તાન-આઈએસઆઈ-લશ્કર કનેક્શનની પુષ્ટિ કરી શકે છે.
ઇલ્યાસ કાશ્મીરી
હેડલીની જુબાની મુજબ, ઇલ્યાસ પણ આ યોજનામાં સામેલ હતો. તહવ્વુર રાણા પરથી સ્પષ્ટ થઈ શકે છે કે આ હુમલા દ્વારા અલ-કાયદા ભારતમાં અસ્થિરતા કેવી રીતે ફેલાવવા માંગતો હતો.
હેડલી અને તેના કાવતરાની વાસ્તવિકતા
ડેવિડ કોલમેન હેડલી, જેને અમેરિકા દ્વારા સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો હતો, તે રાણાનો સૌથી નજીકનો મિત્ર હતો. રાણા પાસે હેડલીની દરેક હિલચાલ વિશે માહિતી હોઈ શકે છે અને તે તેના જુઠાણાનો પર્દાફાશ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech