ઝારખંડમાં ફરી એક વાર તણાવ: દુર્ગા મંદિરની સામે લગાવવામાં આવ્યો ઇસ્લામિક ધ્વજ, હિન્દુ સમુદાયના લોકોમાં ભારે રોષ

  • September 10, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડના ગિરિડીહમાં મંદિરની સામે ઈસ્લામિક ધ્વજ લગાવવાને લઈને તણાવ સર્જાયો છે. જિલ્લાના સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઘટના સ્થળે પોહચી અને ઈસ્લામિક ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે. ધ્વજ લગાવવાને કારણે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.



સરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના કેશવારી સ્થિત દુર્ગા મંડપ પાસે ઈસ્લામિક ધ્વજ લગાવવાને કારણે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે ઈસ્લામિક ધ્વજ હટાવી લીધો હતો. ઘટના બાદ કેશવરી અને નગર કેશ્વરીના સેંકડો લોકો દુર્ગા મંડપ પહોંચ્યા અને હંગામો મચાવવા લાગ્યા હતાં.


માહિતી મળતાં જ SDP ઘટના સ્થળેપહોંચ્યા અને લોકોને સમજાવ્યા હતાં. BJP  બ્લોક પ્રમુખ અજય યાદવ, જિલ્લા મંત્રી રજની કૌર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અજય યાદવે કહ્યું કે આ કેસમાં 21 લોકોના નામ છે અને પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. જો બે દિવસમાં તમામની ધરપકડ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે. હાલ તણાવને જોતા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application