ઝારખંડના ગિરિડીહમાં મંદિરની સામે ઈસ્લામિક ધ્વજ લગાવવાને લઈને તણાવ સર્જાયો છે. જિલ્લાના સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઘટના સ્થળે પોહચી અને ઈસ્લામિક ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે. ધ્વજ લગાવવાને કારણે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના કેશવારી સ્થિત દુર્ગા મંડપ પાસે ઈસ્લામિક ધ્વજ લગાવવાને કારણે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે ઈસ્લામિક ધ્વજ હટાવી લીધો હતો. ઘટના બાદ કેશવરી અને નગર કેશ્વરીના સેંકડો લોકો દુર્ગા મંડપ પહોંચ્યા અને હંગામો મચાવવા લાગ્યા હતાં.
માહિતી મળતાં જ SDP ઘટના સ્થળેપહોંચ્યા અને લોકોને સમજાવ્યા હતાં. BJP બ્લોક પ્રમુખ અજય યાદવ, જિલ્લા મંત્રી રજની કૌર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અજય યાદવે કહ્યું કે આ કેસમાં 21 લોકોના નામ છે અને પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. જો બે દિવસમાં તમામની ધરપકડ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે. હાલ તણાવને જોતા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech