ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માનું રાજીનામું, સ્ટિંગ ઓપરેશન બાદ લેવાયો આ નિર્ણય

  • February 17, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં જ તે સ્ટિંગ ઓપરેશનના કારણે વિવાદમાં આવ્યો હતો. ચેતને પોતાનું રાજીનામું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને આપ્યું છે. અહેવાલ મુજબ જય શાહે તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. બીસીસીઆઈમાં ચેતનનો આ બીજો કાર્યકાળ હતો. પરંતુ તેમણે 40 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. આ પહેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.


હકીકતમાં, તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલે ચેતન શર્મા પર સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં તેણે અનેક ખુલાસા કર્યા હતા. ચેતને વિરાટ અને હાર્દિક પંડ્યા સાથે જોડાયેલી ઘણી વાતો કહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application