Swati Maliwal: 'મારી સાથે...', 72 કલાક પછી સામે આવી સ્વાતિ માલીવાલ, કર્યો મોટો ખુલાસો

  • May 16, 2024 08:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દુર્વ્યવહારની ઘટનાના ત્રણ દિવસ બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું- મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પ્રાર્થના કરનારાઓનો હું આભાર માનું છું.


ટ્વિટર પર કહી આ વાત



સ્વાતિએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

તમને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલ સાથે મારપીટ અને દુર્વ્યવહારના મામલામાં પોલીસે આજે તેના ઘરે જઈને તેનું નિવેદન નોંધ્યું હતું. ઘટનાના ત્રણ દિવસ બાદ ગુરુવારે સ્વાતિએ પોલીસ અધિકારીઓને દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પરના તેના ઘરે બોલાવ્યા અને તેમનું નિવેદન નોંધાવી દિધુ છે. તેણે લગભગ સાડા ચાર કલાક સુધી પોલીસ અધિકારીઓને તેની આપવિતી વિશે વિગતવાર જણાવ્યું હતું. નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. હવે ટૂંક સમયમાં પોલીસ આ મામલે FIR નોંધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application