હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોળીયાક બીચ પર સ્વરછતા અભિયાન

  • August 12, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમ જીલ્લ્ભરના ગ્રામ્ય વિસ્તારમાં ઉજવાઈ રહ્યા છે તે અન્વયે નાયબ જીલ્લા વિકાસ અધિકારી રણજીત કટારીયાના માર્ગદર્શન અન્વયે કોળીયાક બીચ ઉપર ભાવનગર તાલુકા વિકાસ અધિકારીના વડપણ હેઠળ સફાઈ કરવામાં આવી હતી.


 આ પ્રસંગે માર્ગદર્શન આપતા નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે કોળીયાક ધાર્મિક અને પ્રવાસન બંને દ્રષ્ટીએ મહત્વનું સ્થળ છે ત્યારે આ બીચની સ્વચ્છતા માટે અને લોકો વધુ જાગૃત થાય તે માટે કાયમી ઉકેલ આપડે સાથે મળીને શોધવો જોઈએ. ભગવાનના ફોટાઓ, કાચ, ખીલા, માતાજી સાથેની ફ્રેમ મેટલ કે કાચ કે લાકડાના ખીલાવાળા મંદિરો, સિન્થેટિકની ચુંદડીઓ નિષ્કલંક મહાદેવના દરિયામાં ન પધરાવવા કોળીયાક ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી હતી.  તાલુકા વિકાસ અધિકારી  પી. કે. રાવત, તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટી મંત્રીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, આંગણવાડી સ્ટાફ, આઈ.સી.ડી .એસ. સુપરવાઈઝર સ્થાનિક સ્વયંસેવકો અને ગ્રામજનો દ્વારા કોળીયાક બીચની સફાઈ કરી ચાર થી સાડા ચાર ટન કચરો માતાજીની ચુંદડીઓ, કાચ, પ્લાસ્ટિક, નાળીયેરના છાલા નો કચરો એકત્ર કરી બીચને એકદમ સ્વચ્છ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application